રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

લાઇટ જતાં બાયોમેટ્રિક ડોર લોક થઇ ગયો ને 3 જિંદગી ડૂબી ગઇ

05:22 PM Jul 29, 2024 IST | admin
Advertisement

દિલ્હીના IAS કોચિંગ સેન્ટરમાં બનેલી ઘટનામાં કંપાવનારા ખુલાસા

Advertisement

દિલ્હીના રાજેન્દ્ર નગર એરિયામાં રાઉઝ કોચિંગ સેન્ટરમાં બહારથી આવેલા ધસમસતાં પાણીમાં ડૂબી જવાથી 3 વિદ્યાર્થીઓના મોત થયાં હતા. જ્યારે બહારનું પાણી અંદર આવવા લાગ્યું હતું ત્યારે ભોંયરાની લાઈબ્રેરીમાં 30 ભાવી આઈએએસ વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરતાં હતા અને ત્યારે આ ઘટના બની હતી. હવે આ ઘટનામાં નવા ખુલાસાં થયાં છે.

ઘટનાની ખબર મળતાં તંત્ર દ્વારા લાઈટ બંધ કરી દેવાઈ હતી જેથી કરીને કરન્ટ ન ફેલાય પરંતુ લાઈટ જવાને કારણે બાયોમેટ્રિક દરવાજો પણ લોક થઈ ગયો હતો અને બહાર નીકળવાનો રસ્તો પણ બંધ થઈ ગયો હતો.
શનિવારે સાંજે જ્યારે 30 વિદ્યાર્થીઓ આઈએએસનું કોચિંગ લઈ રહ્યા હતા ત્યારે પાણીનો અચાનક ધસારો આવી જતાં 10 મિનિટમાં આખું ભોંયરુ ભરાઈ ગયું હતું અને વિદ્યાર્થીઓ ફસાયાં હતા જેમાં 3થી વધુ વિદ્યાર્થીઓના મોત થયાં હતા. એક પ્રત્યક્ષદર્શી વિદ્યાર્થીએ કહ્યું કે પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે અમે સીડીઓ ચઢી શક્યા ન હતા. 2-3 મિનિટમાં આખું ભોંયરું 10-12 ફૂટ પાણીથી ભરાઈ ગયું.

તેને બહાર કાઢવા માટે દોરડા નાખવામાં આવ્યા હતા, પરંતુ પાણી એટલું ગંદુ હતું કે અંદર કશું દેખાતું ન હતું. એક પછી એક બાળકોને બહાર કાઢવામાં આવી રહ્યા હતા. ભોંયરામાં પાણી આવવાની ઝડપ ખૂબ જ ઝડપી હતી, તેથી ભોંયરામાં ખૂબ જ ઝડપથી પાણી ભરવાનું શરૂૂ થયું અને વિદ્યાર્થીઓને બચવાની કોઈ જગ્યા મળી નહીં. ખૂણામાં રહી ગયેલા વિદ્યાર્થીઓ બહાર નીકળી શક્યા ન હતા. ભોંયરામાં વોટર ટ્રેજેડીમા જીવ ગુમાવનાર 3 વિદ્યાર્થીઓમાં 25 વર્ષની બે છોકરીઓ તાન્યા સોની અને શ્રેયા યાદવ તથા 28 વર્ષીય નવિન ડાલ્વિનનો સમાવેશ થાય છે.

કોચિંગ સેન્ટર એક ગલીમાં બનાવવામાં આવ્યું હતું જે ઢોળાવ પર હતી, જેનું એક કારણ એ છે કે તેથી વરસાદનું પાણી ઝડપથી ભોંયરામાં ભરાઈ ગયું હતું અને આખું ભોંયરુ ડૂબી ગયું હતું. પાણીના પ્રવાહે બેઝમેન્ટનો દરવાજો પણ તોડી નાખ્યો હતો, ભારે પાણીને કારણે ત્યાંનું ફર્નિચર પણ તરવા લાગ્યું હતું જેને કારણે રેસ્ક્યૂમાં અડચણ આવી હતી.

MCD જાગ્યું, સેલરમાં ચાલતા 13 કોચિંગ સેન્ટરને સીલ માર્યા
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનએ નિયમોનું ઉલ્લંઘન કરનારા કોચિંગ સેન્ટરો સામે કાર્યવાહી શરૂ કરી છે. દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગર વિસ્તારમાં 27 જુલાઈએ ભારે વરસાદ બાદ છફીત ઈંઅજ ઈજ્ઞફભવશક્ષલ ભયક્ષયિંનિા ભોંયતળિયામાં પાણી ભરાઈ જવાની ઘટનાની તપાસ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. એમસીડીના બિલ્ડિંગ પેટા-નિયમોનું ઉલ્લંઘન કરીને ચલાવવામાં આવી રહેલા કોચિંગ સેન્ટર સામે કાર્યવાહી શરૂ કરી છે. દિલ્હી એમસીડી દ્વારા આઇએએસ ગુરુકુલ, ચહલ એકેડમી, પ્લુટસ એકેડેમી, સાઈ ટ્રેડિંગ, આઇએએસ સેતુ, ટોપર્સ એકેડમી દૈનિક સંવાદ, સિવિલ ડેઇલી આઇએએસ, કારકિર્દી શક્તિ, 99 નોટ્સ, વિદ્યા ગુરુ, ગાઇડન્સ અને ઇઝી ફોર આઇએએસને સીલ મારી દીધા છે.

Tags :
biometrickdeathdelhidelhinewsheavyrainindiaindia newsMonsoonrain
Advertisement
Next Article
Advertisement