રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પ્રેમમાં પડેલા વેવાઇ-વેવાણ ભાગી ગયા, એક માસ બાદ આપઘાત કર્યો

05:17 PM Jul 15, 2024 IST | admin
Advertisement

યુપીના હરદોઇનો કિસ્સો ચર્ચાના ચગડોળે

Advertisement

પ્યાર ક્યા સંબંધ જોવે છે. ક્યારેક ખૂબ નજીકના સંબંધીઓ પણ પ્રેમમાં પડી જતા હોય છે અને સમાજની બીકે સાથે મરી પણ જતાં હોય છે. બે વર્ષ પહેલા ગુજરાતના ગાંધીનગર અને સુરતમાં વેવાઈ-વેવાણ ભાગી ગયા હતા કારણ કે બન્ને એકબીજા વગર જીવી શકે તેમ નહોતા અને ત્યારે આ મામલો ખૂબ ચગ્યો હતો હવે યુપીના હરદોઈમાં પણ આવી જ એક ઘટના બની છે.યુપીના હરદોઈમાં એક અનોખો મામલો સામે આવ્યો છે.

હરદોઈમાં પ્રેમમાં પડેલા વેવાઈ અને વેવાણે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. તેઓ બન્ને એક મહિના પહેલા ઘેરથી ભાગી ગયા હતા પરંતુ સમાજ તેમના સંબંધો નહીં સ્વીકારે એવું માનીને ટ્રેન નીચે કપાઈને મરી ગયા હતા. રામનિવાસ વ્યવસાયે ડ્રાઇવર હતો. સાથે જ આશારામ વ્યવસાયના સભ્ય તરીકે કામ કરે છે. આશારામ મોટા ભાગે કામના સંદર્ભમાં ઘરથી દૂર જ રહેતો હતો અને આ દરમિયાન રામનિવાસના ઘેર આસારામના આંટા વધી ગયા હતા અને બન્ને પ્રેમમાં પડ્યાં હતા. દીકરીની સાસુ પણ પતિસુખથી વંચિત હતી તેથી તેની પણ દીકરાના સસરા સાથે આંખો મળી હતી.

આ કિસ્સામાં પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યુ છે કે વેવાઈ અને વેવાણ બહાનું કાઢીને બહાર જતાં અને હોટલમાં એકાંત માણતા હતા. સંબંધ જ્યારે વધારે પાકો થયો ત્યારે તેમણે વિચાર્યું તેઓ એકબીજા વગર જીવી નહીં શકે આથી તેઓ ભાગી ગયા અને ત્યારે પણ મેળ ન પડ્યો ત્યારે ટ્રેન નીચે કૂદીને આપઘાત વહોરી લીધો હતો.

Tags :
gujaratgujarat newsindiaindia news
Advertisement
Next Article
Advertisement