For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમને સશસ્ત્ર દળો પર ગર્વ છે, જયહિન્દ: રાહુલ-ખડગેની પ્રતિક્રિયા

05:41 PM May 07, 2025 IST | Bhumika
અમને સશસ્ત્ર દળો પર ગર્વ છે  જયહિન્દ  રાહુલ ખડગેની પ્રતિક્રિયા

Advertisement

ભારતે આજે મોડી રાત્રે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી માળખાને નિશાન બનાવીને ‘ઓપરેશન સિંદૂર’ શરૂૂ કર્યું. ભારતીય સેનાએ કહ્યું કે ભારતે આતંકવાદી માળખાને નિશાન બનાવ્યું જ્યાંથી ભારત વિરુદ્ધ આતંકવાદી હુમલાઓનું આયોજન અને અમલ કરવામાં આવતો હતો. કુલ મળીને, નવ સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા, એમ તેમાં જણાવાયું છે. તે જ સમયે, આ હુમલાઓ પછી, દેશભરના ઘણા નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. આ ઓપરેશન પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું પહેલું નિવેદન પણ બહાર આવ્યું છે. ઓપરેશન સિંદૂર પર, કોંગ્રેસના સાંસદ અને લોકસભાના નેતા રાહુલ ગાંધીએ કહ્યું, ‘અમને અમારા સશસ્ત્ર દળો પર ગર્વ છે. જય હિંદ!’

તે જ સમયે, પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી છાવણીઓ પર લશ્કરી કાર્યવાહી બાદ, કોંગ્રેસે બુધવારે કહ્યું કે તેને ભારતીય સશસ્ત્ર દળો પર ગર્વ છે અને તે તેમની સાથે મજબૂતીથી ઉભી છે. પાકિસ્તાન અને પીઓકેમાંથી ઉદ્ભવતા તમામ પ્રકારના આતંકવાદ સામે ભારતની એક અડગ રાષ્ટ્રીય નીતિ છે, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પડથ પર પોસ્ટ કરી.

Advertisement

તેમણે કહ્યું, અમને અમારા ભારતીય સશસ્ત્ર દળો પર ખૂબ ગર્વ છે જેમણે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો છે. અમે તેમના દૃઢ નિશ્ચય અને હિંમતની પ્રશંસા કરીએ છીએ.
પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી સશસ્ત્ર દળોની સાથે મજબૂતીથી ઉભી છે. પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (ઙજ્ઞઊં) માં આતંકવાદના તમામ સ્ત્રોતોને સંપૂર્ણપણે નાબૂદ કરવાની ભારતની અટલ નીતિ હોવી જોઈએ, અને આ નીતિ હંમેશા સર્વોચ્ચ રાષ્ટ્રીય હિત દ્વારા સંચાલિત હોવી જોઈએ.

Advertisement
Tags :
Advertisement
Advertisement