ભાજપે આપેલા વચનોમાંથી યુ ટર્ન લેતાં લદાખમાં હિંસા ભડકી: સોનમ વાંગચુક
બેરોજગારી પણ કારણ : રાજકીય પક્ષો સામેલ હોવાના આરોપ ફગાવ્યા
પુરસ્કાર વિજેતા પર્યાવરણવાદી અને કાર્યકર્તા સોનમ વાંગચુકે જણાવ્યું હતું કે લદ્દાખમાં હિંસા ભાજપ દ્વારા 2020 માં આપેલા વચનો પરના યુ-ટર્ન તેમજ સ્થાનિક યુવાનોમાં વર્ષોથી બેરોજગારી દ્વારા ભડકી હતી. વિરોધ પ્રદર્શન આગચંપી અને સુરક્ષા દળો સાથે અથડામણમાં પરિણમ્યાના કલાકો પછી વાંગચુકે તેને તેમના જીવનના સૌથી દુ:ખદ દિવસોમાનો એક ગણાવ્યો.
વાંગચુકે કહ્યું કે અશાંતિ એ હતાશ યુવાનોનો ઓર્ગેનિક પ્રકોપ હતો જે લદ્દાખ માટે રાજ્યનો દરજ્જો અને છઠ્ઠી અનુસૂચિ હેઠળ સમાવેશની માંગ કરી રહ્યા હતા છેલ્લા પાંચ વર્ષથી, અમે અત્યંત શાંતિ જાળવી રાખી છે અને હંમેશા શાંતિપૂર્ણ અભિગમ અપનાવ્યો છે જે મહાત્મા ગાંધીના માર્ગ પર ચાલે છે... પરંતુ આજે કંઈક સંપૂર્ણપણે અણધાર્યું હતું.
લેહમા પ્રદર્શનકારીઓએ ભાજપ કાર્યાલય અને CRPF વાનમા આગ લગાવી દીધી જેમાં ઓછામાં ઓછા ચાર લોકો માર્યા ગયા અને 70 થી વધુ લોકો ઘાયલ થયા.
પોલીસે જણાવ્યું કે સુરક્ષા દળોએ ભીડને વિખેરવા માટે ટીયરગેસના શેલ છોડ્યા અને ગોળીબાર કર્યો જેમાં 30 થી વધુ કર્મચારીઓ ઘાયલ થયા. બાદમાં લદ્દાખની રાજધાનીમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો.
લદ્દાખને છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવા અને રાજ્યનો દરજ્જો મેળવવા માટે બે અઠવાડિયાથી વધુ સમયથી ઉપવાસ કરી રહેલા વાંગચુકે કહ્યું કે હિંસા સાથી ભૂખ હડતાળ કરનારાઓની બગડતી તબિયતને કારણે થઈ હતી. મંગળવારે, એક વૃદ્ધ પુરુષ અને એક મહિલાની હાલત ગંભીર બનતાં તેમને સ્ટ્રેચર પર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા તેનાથી તેમના (યુવાનો) લોહી ઉકળી ઉઠ્યું તેમણે કહ્યું સરકારે બિનજરૂૂરી રીતે 16 દિવસ દૂર વાતચીત માટે તારીખ આપી હતી તે હકીકત સાથે, લોકો ખૂબ જ નારાજ હતા. તેથી આ હતાશા અંદરથી દબાયેલી હતી.
તેમણે આ આક્રોશને વર્ષોથી ચાલી રહેલી માંગણીઓ સાથે જોડ્યો એક તરફ તેઓ છેલ્લા પાંચ વર્ષથી બેરોજગાર છે ખાસ કરીને ઉચ્ચ સ્તરે લગભગ કોઈ નોકરીઓ નથી, અને લોકશાહી પર કાપ મૂકવામાં આવ્યો છે. તેમની માંગણીઓ પૂર્ણ કરવામાં આવી નથી કાર્યકર્તાએ એવા આરોપોને પણ ફગાવી દીધા કે વિરોધ રાજકીય પક્ષો દ્વારા આયોજિત કરવામાં આવ્યા હતા સંપૂર્ણપણે, સંપૂર્ણપણે બિનરાજકીય તેમણે ભારપૂર્વક જણાવ્યું, ઉમેર્યું કે સર્વોચ્ચ સંસ્થાએ કોંગ્રેસના પ્રતિનિધિઓને રાજકીયકરણની કોઈપણ ધારણા ટાળવા માટે દૂર રહેવા કહ્યું હતું.
દરમિયાન સરકારે વાંગચુક પર અશાંતિ ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. એક પ્રેસ રિલીઝમા ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે તેમના (સોનમ વાંગચુક) ઉશ્કેરણીજનક ભાષણોથી પ્રેરિત થઈને એક ટોળું ભૂખ હડતાળ સ્થળ છોડીને ગયું અને લેહમાં ભાજપ કાર્યાલય અને ચીફ એક્ઝિક્યુટિવ કાઉન્સિલરના કાર્યાલયને આગ લગાવી દીધી, જ્યારે પોલીસ વાહનોને પણ આગ લગાવી દીધી.