For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મણિપુરમાં ફરી હિંસા!! સ્કૂલ-બજાર-દુકાનો બંધ, 17 એપ્રિલ સુધી કર્ફ્યુનો આદેશ જારી

10:31 AM Apr 10, 2025 IST | Bhumika
મણિપુરમાં ફરી હિંસા   સ્કૂલ બજાર દુકાનો બંધ  17 એપ્રિલ સુધી કર્ફ્યુનો આદેશ જારી

Advertisement

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થવા છતાં સ્થિતિ બેકાબૂ બની છે. મણિપુરમાં ફરી એકવાર કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ચુરાચાંદપુર જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ચુરાચાંદપુર જિલ્લાના કેટલાક ભાગોમાં બે અલગ અલગ જાતિઓ વચ્ચે ફરી એકવાર વિવાદ જોવા મળ્યો હતો, જેના કારણે વહીવટીતંત્રે કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુ લાદ્યો હતો. આ વિવાદ પાછળનું કારણ સમુદાયનો ધ્વજ ફરકાવવાને કારણે હોવાનું કહેવાય છે. તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ સાથે જ વિસ્તારમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ચુરાચાંદપુર અને કાંગવાઈ, સમુલામલન, સાંગાઈકોટ સબ-ડિવિઝનના બે ગામોમાં 17મી એપ્રિલ સુધી સંપૂર્ણ કર્ફ્યુ નિયમો લાગુ રહેશે, પરંતુ બાકીના વિસ્તારોમાં, આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ માટે 17મી એપ્રિલ સુધી સવારે 6થી સાંજે 5 વાગ્યા સુધી કર્ફ્યુમાં છૂટ આપવામાં આવશે.

Advertisement

મંગળવારે, ચુરાચંદપુર સબ-ડિવિઝનના વી મુનહોઇહ અને રેંગકાઈ ગામો વચ્ચેના વિવાદિત વિસ્તારમાં સમુદાયના ધ્વજ ફરકાવવામાં આવ્યા બાદ ઝોમી અને હમાર જાતિઓ વચ્ચે તણાવ જોવા મળ્યો હતો. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ચુરાચંદપુર જિલ્લા મેજિસ્ટ્રેટ ધારુણ કુમારે બે ગામો અને જિલ્લાના સમગ્ર કાંગવાઈ, સમુલામલાન અને સાંગાઇકોટ સબ-ડિવિઝનમાં કર્ફ્યુ લાદ્યો છે.. તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

રેંગકાઈના ગામના અધિકારીઓ અને ચુરાચંદપુરના ડેપ્યુટી કમિશનર અને પોલીસ અધિક્ષક વી મુનહોઈહે ગ્રામજનો સાથે બેઠક યોજી હતી. આ સમય દરમિયાન વહીવટીતંત્રે ગ્રામજનોને શાંતિ જાળવવા અપીલ કરી. આ સાથે, સોશિયલ મીડિયા પર અફવાઓ ન ફેલાવવા માટે કહેવામાં આવ્યું છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે બેઠકમાં એ વાત પર સંમતિ સધાઈ હતી કે બંને ગામો વચ્ચેના જમીન વિવાદનો મુદ્દો અધિકારીઓ દ્વારા ઉકેલવામાં આવશે. અગાઉ, 18 માર્ચે, ચુરાચંદપુર શહેરમાં ઝોમી અને હમાર સમુદાયો વચ્ચે થયેલી અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ઘણા લોકો ઘાયલ થયા હતા, જ્યારે એક વ્યક્તિએ મોબાઇલ ટાવર પરથી ઝોમી સમુદાયનો ધ્વજ કાઢીને જમીન પર ફેંકી દીધો હતો. આ પછી જ વિવાદ શરૂ થયો. સરકાર હાઈ એલર્ટ પર છે અને તાજેતરની અશાંતિ દરમિયાન દરેક રહેવાસીને સુરક્ષા પૂરી પાડવાના પ્રયાસો ચાલુ રાખી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement