હૈદરાબાદમાં અનોખો લઠ્ઠાકાંડ: તાડી ખાવાથી 4ના મૃત્યુ, 37 હોસ્પિટલમાં
હૈદરાબાદ ભેળસેળયુક્ત તાડી દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 4 થયો છે, અને 37 અન્ય લોકો હોસ્પિટલમાં દાખલ છે, સાયબરાબાદના એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, તેમણે શંકાસ્પદ મૃત્યુના ચાર કેસ નોંધ્યા છે. કથિત રીતે તાડી ખાધા પછી તેઓ બીમાર પડ્યા હતા, અધિકારીએ જણાવ્યું હતું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ ન મળે ત્યાં સુધી અમે ચોક્કસ કહી શકતા નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ હજુ રાહ જોવાઈ રહ્યો છે. વિસેરા ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ને મોકલવામાં આવ્યો છે. રિપોર્ટ આવ્યા પછી, અમે મૃત્યુના કારણ વિશે કહી શકીએ છીએ અને તે મુજબ વિભાગોમાં ફેરફાર કરવામાં આવશે, અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.
આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્ય સંચાલિત નિઝામ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં 31 અસરગ્રસ્ત લોકોની સારવાર ચાલી રહી છે, જ્યારે છ અન્ય લોકોને વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, 6 જુલાઈ અને 8 જુલાઈના રોજ કુકટપલ્લી, બાલાનગર અને શહેરના અન્ય વિસ્તારોમાં અસરગ્રસ્ત લોકોએ અલગ અલગ તાડીની દુકાનોમાં તાડી ખાધી હતી, અને મંગળવારે તેમને શરૂૂઆતમાં ખરાબ સ્વાસ્થ્ય - તીવ્ર ગેસ્ટ્રોએન્ટેરિટિસની ફરિયાદ બાદ અલગ અલગ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા.એક્સાઇઝ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમણે આ ઘટનાના સંદર્ભમાં પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી છે.