ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

એક દિવસમાં ભારતીય વાયુસેનાના બે વિમાન ક્રેશ: જાનહાનિ ટળી

11:05 AM Mar 08, 2025 IST | Bhumika
Advertisement

પ.બંગાળના બાગડોગરાથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહીં ભારતીય વાયુસેનાનું એએન-32 વિમાન ઈમરજન્સી લેન્ડિંગ કરવા જતાં ક્રેશ થઇ ગયું છે. અધિકારીઓના અહેવાલ અનુસાર તમામ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે. વાયુસેનાને ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચી ત્વરિત રાહત અને બચાવ કામગીરી શરૂૂ કરી દેવામાં આવી હતી.

Advertisement

ઉલ્લેખનીય છે કે આ પહેલા હરિયાણામાં પણ એરફોર્સનું એક જેગુઆર ફાઈટર જેટ ક્રેશ થઈ ગયું હતું. એટલા માટે એક જ દિવસમાં સતત બે વિમાન દુર્ઘટના સર્જાતા એરફોર્સની ચિંતા વધી ગઇ હતી. હરિયાણાની દુર્ઘટના સમયે પણ પાઇલટે સમયસૂચકતા વાપરી પેરાશૂટ સાથે વિમાનમાંથી સુરક્ષિત ઈજેક્ટ કર્યું હતું. પાઇલટે આ સાથે સુનસાન વિસ્તારમાં ક્રેશ લેન્ડિંગ કરી હતી જેના લીધે મોટી જાનહાનિ ટળી ગઈ હતી.

Tags :
indiaindia newsIndian Air Force aircraft crashplane crash
Advertisement
Next Article
Advertisement