For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બિહારમાં બે કરોડ મતદારોનો મતાધિકાર છીનવાશે

11:09 AM Jul 03, 2025 IST | Bhumika
બિહારમાં બે કરોડ મતદારોનો મતાધિકાર છીનવાશે

સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનના નામે વંચિત વર્ગોને લક્ષ્ય બનાવાઇ રહ્યાનો વિપક્ષનો આક્ષેપ

Advertisement

11 વિપક્ષી પક્ષોએ બિહારમાં પ્રસ્તાવિત વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચ (ECI) દ્વારા હાથ ધરવામાં આવેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાનો સખત વિરોધ કર્યો છે. આ પક્ષોએ ચૂંટણી પંચના અધિકારીઓને મળ્યા અને આરોપ લગાવ્યો કે આ પ્રક્રિયા વંચિત વર્ગોને લક્ષ્ય બનાવી રહી છે અને તેના કારણે લાખો વાસ્તવિક મતદારોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવી શકે છે. કોંગ્રેસ,RJD, CPI, CPI(M), CPI(ML)-લિબરેશન, SP અને NCP (શરદ પવાર જૂથ) સહિત ભારત ગઠબંધનના નેતાઓ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને મળ્યા અને એક સંયુક્ત મેમોરેન્ડમ સુપરત કર્યું.

વિરોધ પક્ષોનો આરોપ છે કે આ પ્રક્રિયા બિહારમાં મતદાર યાદીમાંથી લાખો હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોના નામ કાઢી નાખવા તરફ દોરી શકે છે. તેમણે કહ્યું કે મતદારોને પોતાના અને તેમના માતાપિતાના જન્મ પ્રમાણપત્રો રજૂ કરવાનું કહેવું માત્ર જટિલ અને અન્યાયી જ નથી પણ 8.1 કરોડ મતદારો પર વધુ પડતો બોજ પણ છે.

Advertisement

ચૂંટણી પંચે પ્રસ્તાવ મૂક્યો છે કે 2003 ની મતદાર યાદીમાં નોંધાયેલા લોકોને મતદાર ગણવામાં આવશે, બાકીના લોકોએ ફરીથી નોંધણી માટે દસ્તાવેજો સબમિટ કરવા પડશે. વિપક્ષનું કહેવું છે કે આ એક અસ્પષ્ટ અને કાયદેસર રીતે પાયાવિહોણું વર્ગીકરણ છે, જે લાખો લોકોને કોઈપણ માન્ય કારણ વિના મતદાનના અધિકારોથી વંચિત કરી શકે છે. CPI(ML) ના મહાસચિવ દીપાંકર ભટ્ટાચાર્યએ કહ્યું, જો તમે 2003 ની મતદાર યાદીમાં નથી, તો તમારે નાગરિકતા સાબિત કરવી પડશે. આ સીધો પમતદાન પ્રતિબંધથ છે. બે કરોડ મતદારોને બાકાત રાખી શકાય છે,

કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ ચેતવણી આપી હતી કે આ પ્રક્રિયામાં ઓછામાં ઓછા બે કરોડ મતદારોને બાકાત રાખી શકાય છે, ખાસ કરીને દલિતો, આદિવાસી, સ્થળાંતરિત મજૂરો અને ગરીબ વર્ગોને. તેમણે એમ પણ કહ્યું કે જો કોઈનું નામ કાઢી નાખવામાં આવે છે, તો ચૂંટણીની જાહેરાત થયા પછી તેને કોર્ટમાં પડકારવાનું શક્ય બનશે નહીં, કારણ કે તે સમય દરમિયાન કોર્ટ ચૂંટણી સંબંધિત કેસોની સુનાવણી ટાળે છે.
સિંઘવીએ ચૂંટણી પંચને એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો કે 2003 થી યોજાયેલી ચૂંટણીઓમાં કોઈ મોટી ગેરરીતિઓ નોંધાઈ નથી, તો પછી હવે અચાનક ખાસ સુધારાની જરૂૂર કેમ અનુભવાઈ? તેમણે કહ્યું કે 22 વર્ષમાં 4-5 ચૂંટણીઓ યોજાઈ હતી, શું તે બધી ખોટી હતી?

Advertisement
Tags :
Advertisement
Advertisement