For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પહેલગામ હુમલા પાછળ TRF: માસ્ટરમાઇન્ડ પાક.માં બેઠેલો ગુલ

11:15 AM Apr 23, 2025 IST | Bhumika
પહેલગામ હુમલા પાછળ trf  માસ્ટરમાઇન્ડ પાક માં બેઠેલો ગુલ

Advertisement

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં એક આતંકવાદી હુમલો થયો છે. આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો, જેમાં અનેક લોકો માર્યા ગયા જ્યારે 20 લોકો ઘાયલ થયા. લશ્કર-એ-તૈયબાના હિટ સ્ક્વોડ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.TRFનો માસ્ટરમાઇન્ડ સજ્જાદ ગુલ છે, જે પાકિસ્તાનમાં બેસીને તેનું સંચાલન કરે છે. લશ્કરનું મોરચો સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) 2019માં અસ્તિત્વમાં આવ્યું હતું.

જમ્મુ અને કાશ્મીરમાંTRF આતંકવાદીઓ સક્રિય છે. તેને પાકિસ્તાની સેના અને ઈંજઈં દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. માહિતી અનુસાર, તેનું નેતૃત્વ સજ્જાદ ગુલ, સલીમ રહેમાની અને સાજિદ જાટ કરી રહ્યા છે. ભારત સરકારે તેને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ હેઠળ આતંકવાદી સંગઠન જાહેર કરીને પ્રતિબંધિત કર્યો છે.
TRF એ જમ્મુ અને કાશ્મીરમાં અનેક આતંકવાદી હુમલાઓની જવાબદારી સ્વીકારી છે, જેમાં સુરક્ષા દળો અને નાગરિકો પરના હુમલાનો સમાવેશ થાય છે. ગયા વર્ષે જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ સુરંગમાં આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે હુમલા માટેTRF જવાબદાર માનવામાં આવે છે.

Advertisement

વર્ષ 2020માં ભાજપના કાર્યકરોની હત્યા બાદTRF ચર્ચામાં આવ્યું.TRFના આતંકવાદીઓ ટાર્ગેટ કિલિંગ કરે છે. તેઓ મોટે ભાગે બિન-કાશ્મીરી લોકોને મારી નાખે છે. જેના કારણે બહારના લોકોમાં આતંકનું વાતાવરણ સર્જાય છે અને તેઓ જમ્મુ-કાશ્મીર આવતા નથી.

Advertisement
Tags :
Advertisement
Advertisement