For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

1 જુલાઈથી ટ્રેનની મુસાફરી થશે મોંઘી, રેલવેએ ટિકિટના ભાવમાં કર્યો વધારો

03:25 PM Jun 24, 2025 IST | Bhumika
1 જુલાઈથી ટ્રેનની મુસાફરી થશે મોંઘી  રેલવેએ ટિકિટના ભાવમાં કર્યો વધારો

Advertisement

રેલવે મુસાફરો માટે એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. ભારતીય રેલવે 1 જુલાઈ, 2025 થી નવા ભાડા દર લાગુ કરવા જઈ રહી છે. આ ફેરફારથી સામાન્ય મુસાફરો તેમજ લાંબા અંતરની મુસાફરી કરનારાઓના ખિસ્સા ઢીલા થશે. જોકે, રાહતની વાત એ છે કે કેટલીક શ્રેણીઓમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

Advertisement

રેલવેના નવા ટેરિફ મુજબ, જનરલ સેકન્ડ ક્લાસમાં 500 કિમી સુધીની મુસાફરી માટે કોઈ વધારો કરવામાં આવશે નહીં. પરંતુ જો મુસાફરી 500 કિમીથી વધુ હોય તો પ્રતિ કિલોમીટર અડધા પૈસા વધારાનો ચૂકવવો પડશે.

આ ઉપરાંત, મેઇલ/એક્સપ્રેસ ટ્રેનો (નોન-એસી) માં મુસાફરી કરનારાઓએ હવે પ્રતિ કિલોમીટર 1 પૈસા વધુ ચૂકવવો પડશે. તેવી જ રીતે, એસી ક્લાસ ટિકિટમાં સૌથી વધુ ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. શહેરી ટ્રેનોના ભાડામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જેનાથી લાખો દૈનિક મુસાફરોને રાહત મળશે.

માસિક સીઝન ટિકિટના દરમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. અહેવાલો અનુસાર, અગાઉ રેલવેએ ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો હતો. અત્યાર સુધી, જો તમે ટ્રેન ટિકિટ બુક કરાવો છો, તો તમને ખબર પડી જાય છે કે ટિકિટ કન્ફર્મ છે કે નહીં, ફક્ત તમારી મુસાફરીના ચાર કલાક પહેલા જ. પરંતુ હવે રેલ્વે એક નવી સિસ્ટમ પર કામ કરી રહી છે. રેલ્વેનું કહેવું છે કે કન્ફર્મ સીટો સાથેનો ચાર્ટ મુસાફરીના 24 કલાક પહેલા બહાર પાડવામાં આવશે.

રેલ્વેએ ટિકિટ બુકિંગની નવી સિસ્ટમ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માટે ટ્રાયલ પણ શરૂ થઈ ગઈ છે. 6 જૂનથી, રાજસ્થાનના બિકાનેર ડિવિઝનમાં આ સિસ્ટમ પાયલોટ તરીકે શરૂ કરવામાં આવી છે. હાલમાં તે એક ટ્રેન સુધી મર્યાદિત છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધી તેમાં કોઈ પણ પ્રકારની સમસ્યા આવી નથી. રેલ્વે અધિકારીઓનું કહેવું છે કે તેનો પ્રયાસ થોડા અઠવાડિયા સુધી કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement