For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બિહારમાં INDIA-NDA વચ્ચે કાંટે કી ટક્કર; નવા સરવેથી રાજકીય ખળભળાટ

05:39 PM Nov 03, 2025 IST | admin
બિહારમાં  india nda વચ્ચે કાંટે કી ટક્કર  નવા સરવેથી રાજકીય ખળભળાટ

બહારના મતદારો પાસુ પલટાવશે, નીતિશ ઉપરની વિશ્ર્વસનિયતા અકબંધ, PKની પાર્ટી પાસુ પલ્ટાવશે

Advertisement

જાતી કરતા પક્ષની વફાદારીને વધુ મહત્વ આપતા અને 10 લાખ નોકરીના વાયદાને ચૂંટણીલક્ષી ગણાવતા મતદારો

હાલમાં જ પ્રકાશિત થયેલા વોટ વાઇબ (ટજ્ઞયિં ટશબય)ના તાજેતરના સર્વે અનુસાર, બિહાર વિધાનસભા ચૂંટણી 2025 અત્યંત રસપ્રદ વળાંક પર પહોંચી ગઈ છે. આ સર્વેક્ષણે રાજ્યના રાજકારણમાં ભારે ઉત્તેજના જગાવી છે.
સર્વેના તારણો દર્શાવે છે કે આ વખતે સ્પર્ધા ઘણી નજીકની છે, અને પરિણામ કોઈ પણ તરફ જઈ શકે છે.

Advertisement

મહાગઠબંધન (ખૠઇ) અને એનડીએ (ગઉઅ) વચ્ચે માત્ર 0.3 ટકાનો નજીવો તફાવત છે, જે સૂચવે છે કે નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ વચ્ચેની સાચી લડાઈ હવે દરેક બૂથ પર લડાશે. સર્વે અનુસાર, મહાગઠબંધનને 34.7% વોટ શેર મળવાનો અંદાજ છે, જ્યારે એનડીએને 34.4% વોટ શેર મળવાની શક્યતા છે. પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટી 12.3% વોટ શેર સાથે ત્રીજા મોરચા તરીકે પોતાની અસર બતાવી રહી છે. આશ્ચર્યજનક રીતે 8.4% મતદારો હજુ પણ હંગ એસેમ્બલી એટલે કે કોઈને સંપૂર્ણ બહુમતી ન મળવાની સ્થિતિની સંભાવના જોઈ રહ્યા છે. આ પરિસ્થિતિ બિહારના રાજકારણમાં અસ્થિરતા લાવી શકે છે.

સર્વે દર્શાવે છે કે 66.2% લોકો માને છે કે છઠ પૂજા પછી પ્રવાસી મજૂરો બિહાર પાછા ફરશે અને તેમની હાજરીથી મતદાનની ટકાવારીમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. આનો અર્થ એ છે કે હાલમાં બહાર રહેલા મતદારો જ ચૂંટણીનું પાસું પલટી શકે છે.

આ જ કારણ છે કે તમામ રાજકીય પક્ષો હવે તેમના ચૂંટણી પ્રચારને ગ્રામીણ વિસ્તારો પર કેન્દ્રિત કરી રહ્યા છે. તેઓ પ્રવાસી મતદારોને આકર્ષવા માટે પ્રયાસો કરી રહ્યા છે. બિહારના રાજકારણમાં પહેલીવાર એવો ટ્રેન્ડ જોવા મળ્યો છે કે 51.1% મતદારો હવે જાતિ કરતાં પક્ષની વફાદારીને વધુ મહત્વ આપી રહ્યા છે. આ વલણ ખાસ કરીને યુવાનો અને શહેરી મતદારોમાં જોવા મળે છે. આનો અર્થ એ છે કે જે રાજકીય પક્ષ સ્પષ્ટ એજન્ડા અને ભરોસાપાત્ર ચહેરો રજૂ કરશે, તે જ જનતાનો વિશ્વાસ જીતી શકશે. રાજકીય પક્ષો માટે આ એક મહત્વપૂર્ણ સંદેશ છે.

તેજસ્વી યાદવે પોતાના પ્રચાર અભિયાનમાં 10 લાખ નોકરીઓના વાયદાને ફરીથી મુખ્ય મુદ્દો બનાવ્યો છે. જો કે, સર્વે મુજબ 48% મતદારો તેને માત્ર એક ચૂંટણીલક્ષી સૂત્ર માને છે. તેની સામે 50% લોકોનું માનવું છે કે આ વાયદો નીતિશ કુમારની 10,000 ની સહાય યોજનાનો મુકાબલો કરી શકે છે. આ દર્શાવે છે કે રોજગાર હજુ પણ ચૂંટણીનો સૌથી મોટો મુદ્દો છે, પરંતુ લોકોમાં શંકા અને આશા બંનેનો મિશ્રણ છે. સર્વેનું અન્ય એક રસપ્રદ તારણ એ છે કે 56.7% લોકોએ નીતિશ કુમારના શાસનકાળને લાલુ-રાબડીના સમયગાળા કરતાં વધુ સારો ગણાવ્યો.

આ દર્શાવે છે કે વિકાસ, રસ્તા, વીજળી અને કાયદો-વ્યવસ્થાના મુદ્દાઓ પર નીતિશની વિશ્વસનીયતા હજુ પણ અકબંધ છે.જો કે, ભાજપ સાથે ગઠબંધન પછી કેટલાક મતદારો તેમને જૂના નીતિશ તરીકે નથી જોતા, તેમ છતાં તેમની વહીવટી પકડ હજુ પણ મજબૂત માનવામાં આવે છે. જન સુરાજ ના સ્થાપક પ્રશાંત કિશોર હાલમાં પરિવર્તન યાત્રા પર છે, ધીમે ધીમે પોતાની જમીન બનાવી રહ્યા છે. 12.3% વોટ શેરનો અંદાજ તેમના માટે મોટી સિદ્ધિ ગણી શકાય છે. ખાસ કરીને જ્યારે તેમણે કોઈ મોટા ગઠબંધનમાં સામેલ થયા વિના જનતાના ભરોસે પોતાની જગ્યા બનાવી છે. રાજકીય નિષ્ણાતો માને છે કે જો પીકેની આ ગતિ ચાલુ રહેશે, તો જન સુરાજ 20-25 બેઠકો પર અસર કરી શકે છે.

10,859 લોકોનો સમાવેશ
આ વોટ વાઇબ સર્વે 15 થી 19 ઓક્ટોબર દરમિયાન હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં કુલ 10,859 લોકો સાથે વાતચીત કરવામાં આવી હતી. આમાં 30% ગ્રામીણ અને 70% શહેરી મતદારોનો સમાવેશ થતો હતો. સર્વેમાં 52% પુરુષો અને 48% મહિલાઓનો સમાવેશ થયો હતો. સર્વેનો માર્જિન ઓફ એરર ઔ3% છે, જેનો અર્થ છે કે પરિણામોમાં નજીવો ફેરફાર પણ સમગ્ર ગણિત બદલી શકે છે. વોટ વાઇબના આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે આ વખતે બિહારનું રાજકારણ પહેલા કરતાં વધુ રોમાંચક છે. નીતિશ કુમાર પોતાની શાખ અને વિકાસની રાજનીતિ પર આધાર રાખે છે, જ્યારે તેજસ્વી યાદવ બેરોજગારી અને યુવાનોની આશાઓ દ્વારા જનતા સુધી પહોંચી રહ્યા છે. બીજી તરફ, પ્રશાંત કિશોર ત્રીજા વિકલ્પ તરીકે ધીમે ધીમે પોતાની અસરનો વિસ્તાર વધારી રહ્યા છે. હવે સવાલ એ છે કે શું આ વખતે પણ નીતિશનો અનુભવ તેજસ્વીની યુવા લહેર પર ભારે પડશે, કે પછી બિહાર એક નવા રાજકીય સમીકરણનું સાક્ષી બનશે?

Advertisement
Tags :
Advertisement
Advertisement