For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જલંધર હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ બંધ પડી જતાં ત્રણ દર્દીનાં કરૂણ મોત

12:50 PM Jul 28, 2025 IST | Bhumika
જલંધર હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ બંધ પડી જતાં ત્રણ દર્દીનાં કરૂણ મોત

ટેક્નિકલ ખામીથી અચાનક બનાવ સર્જાયાનો સિવિલના ડોક્ટરનો બચાવ

Advertisement

પંજાબના જાલંધરની સિવિલ હોસ્પિટલમાં ઘોર બેદરકારી સામે આવી છે. મોડી રાત્રે અહીં ટ્રોમા સેન્ટરના ICUમાં ઓક્સિજન પ્લાન્ટ અચાનક બંધ થવાને કારણે 3 દર્દીઓના મોત થયા. આ ઘટના બાદ હોસ્પિટલ પરિસરમાં અંધાધૂંધી મચી ગઈ હતી. ત્યાં હાજર દર્દીઓ અને તેમના સંબંધીઓમાં હોબાળો મચી ગયો હતો. ટ્રોમા સેન્ટરમાં સાપ કરડવાથી, એક ટીબી અને ડ્રગ ઓવરડોઝના દર્દીની સારવાર ચાલી રહી હતી. આ દર્દીઓ પહેલાથી જ ઓક્સિજન સપોર્ટ પર હતા.

ટ્રોમા સેન્ટરના ડોક્ટર વિનયે સિવિલ હોસ્પિટલ વહીવટનો બચાવ કર્યો અને કહ્યું કે ઓક્સિજન પ્લાન્ટમાં ટેકનિકલ ખામી હતી પરંતુ ખામી દૂર કરવામાં આવી હતી, આ મૃત્યુ તે પછી થયા હતા. ઘટના પછી, હોસ્પિટલ સ્ટાફે પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ દર્દીઓના જીવ બચાવી શકાયા નહીં. ખામી ટૂંક સમયમાં સુધારી લેવામાં આવી હતી, અને એવું કહેવું ઉતાવળ હશે કે મૃત્યુ ઓક્સિજનના અભાવે થયા છે. હા, એ વાત ચોક્કસ છે કે ઓક્સિજન પ્રેશર ઘટ્યા પછી મૃત્યુ થયા છે. હાલમાં આ મામલાની તપાસ ચાલી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement