For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અભિનેત્રીને ફસાવીને ધરપકડના કેસમાં ત્રણ IPS અધિકારી સસ્પેન્ડ

11:32 AM Sep 16, 2024 IST | admin
અભિનેત્રીને ફસાવીને ધરપકડના કેસમાં ત્રણ ips અધિકારી સસ્પેન્ડ

આંધ્રપ્રદેશ સરકારની કાર્યવાહી, મુંબઈની કાદમ્બરી જેઠવાણીને 42 દિવસ જેલમાં રાખી હતી

Advertisement

આંધ્ર પ્રદેશ સરકારે ત્રણ વરિષ્ઠ ઈંઙજ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. તેના પર મુંબઈની અભિનેત્રીને ફસાવવા, ધરપકડ કરવા અને હેરાન કરવાનો આરોપ છે. અભિનેત્રી કાદમ્બરી જેઠવાનીને હેરાન કરવા અને ધરપકડ કરવાના આરોપમાં આંધ્રપ્રદેશના ત્રણ ઈંઙજ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આંધ્ર પ્રદેશ સરકારે ત્રણ વરિષ્ઠ ઈંઙજ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. તેના પર મુંબઈની અભિનેત્રીને ફસાવવા, ધરપકડ કરવા અને હેરાન કરવાનો આરોપ છે.

સસ્પેન્ડ કરવામાં આવનાર ઈંઙજ અધિકારીઓના નામ ઙજછ અંજના નેયુલુ, કાંતિ રાણા ટાટા અને વિશાલ ગુન્ની છે. તપાસ અહેવાલમાં ત્રણેય દ્વારા સત્તાનો દુરુપયોગ અને મોટી ભૂલો સામે આવી હતી, ત્યારબાદ ત્રણેય વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી હતી. અભિનેત્રીએ દાવો કર્યો હતો કે જ્યારે તેઓ કસ્ટડીમાં હતા ત્યારે પોલીસે તેને અને તેના માતા-પિતાને તેમના કાયદાકીય અધિકારોથી વંચિત રાખ્યા હતા.

Advertisement

તેને તેના વકીલ અને સંબંધીઓને મળવાની પણ મંજૂરી આપવામાં આવી ન હતી. તેને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. એટલું જ નહીં, અધિકારીઓએ એવી પણ ધમકી આપી હતી કે જો મુંબઈની ફરિયાદ પાછી નહીં ખેંચાય તો અન્ય રાજ્યોમાં ખોટા કેસ નોંધવામાં આવશે.

કાદમ્બરીએ ફરિયાદ નોંધાવી આરોપ લગાવ્યો કે ત્રણ ઈંઙજ અધિકારીઓએ સ્થાનિક ઉદ્યોગપતિ અને ઢજછઈઙ નેતા કુક્કાલા વિદ્યાસાગર સાથે મળીને તેમની વિરુદ્ધ ખોટો કેસ નોંધાવવાનું કાવતરું ઘડ્યું હતું. તેની 2 ફેબ્રુઆરીએ મુંબઈથી તેના માતા-પિતા સાથે ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં તેને 42 દિવસ જેલમાં રાખવામાં આવ્યો હતો અને પછી જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement