ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

દિલ્હીમાં હવાનું પ્રદૂષણ રોકવા કોઇ જાદુઇ છડી નથી: સુપ્રીમ

05:48 PM Nov 27, 2025 IST | Bhumika
Advertisement

આરોગ્ય કટોકટી જાહેર કરવા અદાલતના મિત્રએ આગ્રહ કરતા બેંચે કહ્યું, અમને કહો કયા આદેશો આપીએ જેથી લોકોને સ્વચ્છ હવા મળી રહે?

Advertisement

દિલ્હી-એનસીઆરમાં વધતા પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે તેની પાસે સમસ્યા હલ કરવા અને તેને ઠીક કરવા માટે કોઈ જાદુઈ છડી નથી. કોર્ટે કહ્યું કે તે સ્વીકારે છે કે આ દિલ્હી-એનસીઆર માટે ખતરનાક સમય છે. કોર્ટે કહ્યું કે આ મુદ્દાનો તાત્કાલિક ઉકેલ શોધવાના પ્રયાસો કરવા જોઈએ. આ મામલાની સુનાવણી હવે 1 ડિસેમ્બરે થશે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે હવાની ગુણવત્તાની સમસ્યા ગંભીર છે અને તેને તાત્કાલિક ઉકેલવા માટે નક્કર પગલાં લેવાની જરૂૂર છે.

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્તે આ મુદ્દા પર ગંભીર ચિંતા વ્યક્ત કરતા કહ્યું, કોઈ પણ ન્યાયિક મંચ પાસે એવી કઈ જાદુઈ છડી છે જે આ સમસ્યા હલ કરી શકે? હું જાણું છું કે આ દિલ્હી-એનસીઆર માટે ખતરનાક સમય છે. અમને કહો કે આપણે કયા આદેશો પસાર કરી શકીએ જેથી લોકોને તાત્કાલિક સ્વચ્છ હવા મળી શકે.

CJI એ વધુમાં જણાવ્યું હતું કે પ્રદૂષણ પાછળ કોઈ એક કારણ નથી, અને તેને ફક્ત નિષ્ણાતો અને વૈજ્ઞાનિકો પર છોડી દેવું અન્યાયી રહેશે. તેમણે કહ્યું કે આપણે બધા કારણો ઓળખવા જોઈએ. દરેક ક્ષેત્રને એક અનન્ય ઉકેલની જરૂૂર છે. આ માટે સરકાર દ્વારા રચાયેલી સમિતિઓ અને તેમની કામગીરીની સમીક્ષા કરવાની જરૂૂર છે. નિયમિત દેખરેખ પ્રક્રિયાને મજબૂત બનાવવી પણ મહત્વપૂર્ણ છે.

એમિકસ ક્યુરી અપરાજિતા સિંહે કોર્ટને જણાવ્યું હતું કે દિલ્હી-NCRમાં પ્રદૂષણનું સ્તર ખૂબ જ ગંભીર છે અને તેને આરોગ્ય કટોકટી તરીકે ગણવું જોઈએ. તેમણે કહ્યું હતું કે સામાન્ય નાગરિકોના જીવન અને આરોગ્ય બંને જોખમમાં છે.

ચીફ જસ્ટિસ સૂર્યકાન્તે એમ પણ કહ્યું હતું કે પ્રદૂષણના મુદ્દાઓની નિયમિત સુનાવણી થવી જોઈએ. તેમણે નોંધ્યું હતું કે દિવાળી દરમિયાન પ્રદૂષણ સંબંધિત મુદ્દાઓની વારંવાર સુનાવણી કરવામાં આવે છે, પરંતુ પછી કેસની યાદીમાંથી ગાયબ થઈ જાય છે. આવા કિસ્સાઓમાં સતત દેખરેખ અને નિયમિત સુનાવણી જરૂૂરી છે જેથી નક્કર અને અસરકારક નિર્ણયો લઈ શકાય. સુપ્રીમ કોર્ટે હવે આ કેસમાં આગામી સુનાવણી 1 ડિસેમ્બરે નક્કી કરી છે.

Tags :
delhidelhi newsdelhi pollutionindiaindia newsSupreme Court
Advertisement
Next Article
Advertisement