રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

તેલંગાણા સરકારે ખેડૂતોની એક લાખ સુધીની કૃષિ લોન માફ કરી

04:38 PM Jul 17, 2024 IST | admin
Advertisement

અગાઉ સરકારે બે લાખ સુધીની લોન માફ કરવાનું કહ્યુ હતું

Advertisement

તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ 1 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરવાની જાહેરાત કરી છે. તેલંગાણાના સીએમઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે બેંકોને સૂચના આપવામાં આવી છે કે ખેડૂતો દ્વારા લેવામાં આવેલી લોન તેમને 18 જુલાઈ, 2024 સુધીમાં ચૂકવવામાં આવે. સરકારે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો બેંકરો લોન માફી માટે સરકાર દ્વારા જાહેર કરાયેલી રકમ અન્ય ખાતામાં જમા કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

તેલંગાણા સરકારના મંત્રીઓ, ધારાસભ્યો અને એમએલસી મંગળવારેના લોન માફીનો લાભ મેળવનાર ખેડૂતો સાથેના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી.. અગાઉ, તેલંગાણા સરકારે 2 લાખ રૂપિયા સુધીની પાક લોન માફ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકા અનુસાર, એવું કહેવામાં આવ્યું હતું કે 12 ડિસેમ્બર, 2018ના રોજ અથવા તે પછી આપવામાં આવેલી કૃષિ લોન માફ કરવાની હતી, જે 9 ડિસેમ્બર, 2023 સુધીમાં ચૂકવવાની હતી. તેની પ્રક્રિયા ગુરુવાર (18 જુલાઈ 2024)થી શરૂ થશે અને 15 ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થશે.

સરકારે કહ્યું કે નાગરિક પુરવઠા વિભાગના પીડીએસ કાર્ડના ડેટાબેઝનો ઉપયોગ ખેડૂત પરિવારોની ઓળખ કરવા માટે કરવામાં આવશે. પરિવારમાં તેના વડા, તેના જીવન સાથી, બાળકો અને અન્યનો સમાવેશ થશે. માર્ગદર્શિકા અનુસાર, લોન માફી યોજનાના અમલીકરણ માટે દરેક બેંકમાં નોડલ અધિકારીની નિમણૂક કરવી જોઈએ. નોડલ ઓફિસર રાજ્યના કૃષિ વિભાગના નિયામક અને એનઆઇસી વચ્ચે સંકલનની કામગીરી કરશે.

Tags :
Farmersfarmerscreditindiaindia newsTelanganatelangananews
Advertisement
Next Article
Advertisement