ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગંગા એકસપ્રેસ વે પર ફાઇટર વિમાનોની ગર્જના

06:45 PM May 02, 2025 IST | Bhumika
Advertisement

યુપીના શાહજહાંપુરના ગંગા એક્સપ્રેસવેની 3.5 કિમી લાંબી એરસ્ટ્રીપ આજે ભારતીય વાયુસેનાના ફાઇટર જેટની ગર્જનાથી ગુંજી ઉઠી. રાફેલ, મિરાજ-2000 અને જગુઆર જેવા ફાઇટર પ્લેન એક્સપ્રેસવેના આકાશમાં ઉડતા જોવા મળ્યા. વાયુસેના આ હવાઈ પટ્ટી પર સાંજે 7 થી 10 વાગ્યા સુધી નાઈટ લેન્ડિંગનો ઐતિહાસિક અભ્યાસ કરશે. આ કવાયત દેશમાં આ પ્રકારનો પ્રથમ રાત્રિ લશ્કરી એર શો છે, જે એક્સપ્રેસ વે પર આયોજિત થશે. આ રીતે, ગંગા એક્સપ્રેસ વે હવે માત્ર રસ્તાઓનો જ નહીં પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાનો પણ આધારસ્તંભ બની ગયો છે.

Advertisement

ભારતીય વાયુસેનાના અભ્યાસમાં ત્રણ મુખ્ય ફાઇટર જેટ સામેલ છે. તેમાં રાફેલ, મિરાજ-2000 અને જગુઆરનો સમાવેશ થાય છે. આ વિમાનો ગંગા એક્સપ્રેસવે પર દિવસ દરમિયાન ટચ એન્ડ ગો લેન્ડિંગની સાથે નાઇટ વિઝન ગાઇડેડ લેન્ડિંગનું પણ પ્રદર્શન કરી રહ્યા છે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર છે.
ભારતીય વાયુસેના યુપીના શાહજહાંપુરના ગંગા એક્સપ્રેસ વે પર પહેલીવાર ફાઇટર જેટનું નાઇટ લેન્ડિંગ કરવા જઈ રહી છે. રાફેલ, મિરાજ અને જગુઆર વિમાનોએ દેશની પહેલી રાત્રિ ઉતરાણ હવાઈ પટ્ટી પર પ્રેક્ટિસ કરી. ગંગા એક્સપ્રેસવે પર ઈંઅઋ ફાઇટર જેટ ટેક-ઓફ લેન્ડિંગ ડ્રીલ કરશે શાહજહાંપુર ઈંઅઋ ફાઇટર જેટ: પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે, ભારતે ગંગા એક્સપ્રેસવે પર શક્તિ બતાવી! રાફેલ, જગુઆર અને મિરાજે ઉડાન ભરી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, અહીં ફાઇટર પ્લેન પણ રિહર્સલ કરી શકશે. સુરક્ષાની દૃષ્ટિએ, રનવેની બંને બાજુ લગભગ 250 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે એર શોને ધ્યાનમાં રાખીને, ભારતીય વાયુસેનાએ એરસ્ટ્રીપને તેના અધિકારક્ષેત્રમાં લઈ લીધી છે. જિલ્લા વહીવટીતંત્ર પાસેથી મળેલી માહિતી અનુસાર, આ એર શો દિવસ અને રાત્રિ બંને સમયે યોજાશે, જેથી રાત્રે રનવે પર વિમાનને ઉતારવાની ક્ષમતાનું પણ પરીક્ષણ કરી શકાય.

બરેલી એરફોર્સ સ્ટેશનથી ફાઇટર જેટ આવ્યા હતા
શો દરમિયાન, ફાઇટર પ્લેન ટેસ્ટ તરીકે રનવે પર એક મીટરની ઊંચાઈએ ઉડાન ભરશે અને ત્યારબાદ આ પ્લેન રનવે પર ઉતરશે અને પછી ઉડાન ભરશે. તેમના મતે, અહીં સાંજે 7 થી 10 વાગ્યા સુધી ફરીથી કવાયત હાથ ધરવામાં આવશે અને બધા ફાઇટર વિમાનો બરેલીના એરફોર્સ સ્ટેશનથી આવશે. આ દરમિયાન રાજ્યના નાણામંત્રી સુરેશ ખન્ના, સહકાર રાજ્યમંત્રી જેપીએસ રાઠોડ, જનપ્રતિનિધિઓ અને વાયુસેનાના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા છે.

Tags :
fighter jetsGanga Expresswayindiaindia news
Advertisement
Next Article
Advertisement