For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

' સરકારે લોકોને રામ ભરોસે છોડી દીધા, હુમલાની જવાબદારી કોની? પ્રિયંકા ગાંધીએ પહેલગામ હુમલા પર સરકારને ઘેરી

03:19 PM Jul 29, 2025 IST | Bhumika
  સરકારે લોકોને રામ ભરોસે છોડી દીધા  હુમલાની જવાબદારી કોની  પ્રિયંકા ગાંધીએ પહેલગામ હુમલા પર સરકારને ઘેરી

Advertisement

આજે લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા ચાલી રહી છે. અ દરમિયાન કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે આ હુમલાને સુરક્ષામાં ગંભીર ભૂલ ગણાવી અને આ હુમલા માટે કોણ જવાબદાર છે તે પ્રશ્ન ઉઠાવ્યો.

Advertisement

પ્રિયંકાએ કાશ્મીરને શાંતિપૂર્ણ અને પર્યટન માટે સલામત કહેવાની સરકારની નીતિઓ પર પ્રશ્ન ઉઠાવ્યો અને કહ્યું કે લોકો સરકાર પર વિશ્વાસ કરીને પહેલગામ ગયા હતા, પરંતુ સરકારે લોકોને રામ ભરોસે . ત્યાં કોઈ સુરક્ષા વ્યવસ્થા નહોતી.

તેમણે સરકાર પર પ્રશ્ન ઉઠાવ્યો અને કહ્યું કે શું નાગરિકોની સુરક્ષા સંરક્ષણ પ્રધાનની જવાબદારી નથી, શું તે ગૃહ પ્રધાનની જવાબદારી નથી. તેમણે TRFની સ્થાપના, તેની પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરીને અને તેને આતંકવાદી સંગઠન ગણાવીને પ્રશ્નો ઉઠાવ્યા અને કહ્યું કે સરકારની એવી કોઈ એજન્સી નથી જેને ખબર હોય કે આવા ભયંકર હુમલાનું આયોજન થઈ રહ્યું છે. શું આ એજન્સીઓની નિષ્ફળતા છે કે નહીં. આ એક મોટી નિષ્ફળતા છે.

તેમણે કહ્યું કે આતંકવાદી સંગઠન TRF (જે પાકિસ્તાન સમર્થિત લશ્કર-એ-તૈયબાનો ભાગ છે) એ બૈસરન ખીણમાં થયેલા આ આતંકવાદી હુમલાની જવાબદારી લીધી છે. આતંકવાદીઓએ તેમના ધર્મના આધારે પ્રવાસીઓને નિશાન બનાવ્યા અને અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં 26 લોકો માર્યા ગયા. આ હુમલાને 2019ના પુલવામા હુમલા પછી કાશ્મીરમાં નાગરિકો પરનો સૌથી ઘાતક હુમલો માનવામાં આવે છે.

આ ઉપરાંત, પ્રિયંકાએ કાનપુરના શુભમ દ્વિવેદીનો ઉલ્લેખ કરતા કહ્યું કે શુભમ તેના પરિવાર સાથે પહેલગામની સુંદર ખીણોનો આનંદ માણવા ગયો હતો, પરંતુ આતંકવાદીઓએ તેની પત્નીની સામે શુભમને ગોળી મારી દીધી. આ ઘટનાનો ઉલ્લેખ કરતા પ્રિયંકાએ કહ્યું કે શુભમ જેવા ઘણા લોકો શાંતિપૂર્ણ કાશ્મીરના સરકારના દાવાઓ પર વિશ્વાસ કરીને ત્યાં ગયા હતા, પરંતુ તેમને સુરક્ષાના નામે કંઈ મળ્યું નહીં.

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આ હુમલા પછી, શું આર્મી ચીફ, શું ઇન્ટેલિજન્સ ચીફે રાજીનામું આપ્યું? શું ગૃહમંત્રીએ રાજીનામું આપ્યું? રાજીનામું તો છોડી દો, તેમણે જવાબદારી પણ લીધી નથી. તમે ઇતિહાસની વાત કરો, હું વર્તમાન વિશે વાત કરીશ. તમે ૧૧ વર્ષથી સત્તામાં છો. ગઈકાલે મેં જોયું કે જ્યારે ગૌરવ ગોગોઈ જવાબદારી વિશે વાત કરી રહ્યા હતા, ત્યારે રાજનાથ સિંહ માથું હલાવી રહ્યા હતા પણ ગૃહમંત્રી હસતા હતા.

પ્રિયંકાએ કહ્યું, તેમણે ગઈકાલે કહ્યું હતું કે મુંબઈ હુમલા પછી મનમોહન સરકારે કંઈ કર્યું નહીં. જ્યારે ઘટના ચાલી રહી હતી, ત્યારે ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા અને એક બાકી રહ્યો હતો જેને પકડવામાં આવ્યો અને પછી ફાંસી આપવામાં આવી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને દેશના ગૃહમંત્રીએ રાજીનામું આપ્યું. ઉરી-પુલવામા સમયે રાજનાથજી ગૃહમંત્રી હતા, આજે તેઓ સંરક્ષણ મંત્રી છે. અમિત શાહના સમયમાં, મણિપુર સળગી રહ્યું છે, દિલ્હી રમખાણો થયા, પહેલગામ થયું અને આજે પણ તેઓ ગૃહમંત્રી છે. શા માટે?

તેમણે કહ્યું કે દેશ જાણવા માંગે છે. પહેલગામ હુમલો થયો, બધા એક થઈને ઉભા રહ્યા. જો ફરીથી આવું થાય, તો આપણે ફરીથી સાથે ઉભા રહીશું. જો દેશ પર હુમલો થાય, તો આપણે બધા સરકાર સાથે ઉભા રહીશું. સેનાએ ઓપરેશન સિંદૂરમાં બહાદુરીથી લડ્યા, પરંતુ વડા પ્રધાન શ્રેય ઇચ્છે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement