For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મૃત વ્યક્તિએ એફઆઇઆર નોંધાવી, પોલીસે ચાર્જશીટ પણ કરી! હાઇકોર્ટે ખખડાવ્યા

05:37 PM Aug 09, 2024 IST | Bhumika
મૃત વ્યક્તિએ એફઆઇઆર નોંધાવી  પોલીસે ચાર્જશીટ પણ કરી  હાઇકોર્ટે ખખડાવ્યા
Advertisement

યુપીની અલાહાબાદ હાઈકોર્ટમાં એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. આ મામલો સાંભળનાર દરેક લોકો ચોંકી ગયા છે. સાંભળવામાં અજીબ લાગશે કે ભૂત પણ એફઆઈઆર નોંધાવી શકે છે.

વર્ષ 2014માં મૃતક વ્યક્તિના નામે જમીન વિવાદમાં એક જ પરિવારના પાંચ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. તે જ સમયે, તપાસ અધિકારીએ નિવેદન નોંધ્યું હતું અને ચાર્જશીટ દાખલ કરી હતી. પછી કેસ ચાલુ રહ્યો. મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો

Advertisement

આ મામલો યુપીના કુશીનગરનો છે. તેમના મૃત્યુના ત્રણ વર્ષ પછી, મૃતક વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી. કુશીનગર પોલીસ પર ટિપ્પણી કરતા હાઈકોર્ટે કહ્યું કે આ કેસના તથ્યોથી હું આશ્ચર્યચકિત છું. પોલીસ ગુનાઓની તપાસ કેવી રીતે કરે છે? પોલીસે ત્રણ વર્ષ પહેલા મૃત્યુ પામેલા વ્યક્તિનું નિવેદન નોંધ્યું હતું. આ કેવી રીતે થઈ શક્યું હશે? કોર્ટે એસપી કુશીનગરને નિર્દેશ આપ્યો કે અહીં એક નભૂતથ નિર્દોષોને પરેશાન કરી રહ્યું છે. તપાસ અધિકારી સમક્ષ તેમનું નિવેદન નોંધી રહ્યું છે. આવા તપાસ અધિકારીએ તપાસ કરીને અહેવાલ રજૂ કરવો જોઈએ. હાઈકોર્ટે ફોજદારી કેસની કાર્યવાહી રદ કરી હતી. કોર્ટે હાઈકોર્ટ બાર એસોસિએશનને આ કેસમાં વાદીના વકીલને ભવિષ્યમાં સાવચેત રહેવાનું શીખવવા જણાવ્યું હતું. આ વિચિત્ર મામલો ફરિયાદી શબ્દપ્રકાશ સાથે સંબંધિત છે, જેનું મૃત્યુ 19 ડિસેમ્બર 2011ના રોજ થયું હતું.

2014માં કુશીનગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. જેમાં વાદી શબ્દપ્રકાશ હતા અને પુરુષોત્તમ નામના વ્યક્તિ સહિત ચાર લોકોને આરોપી બનાવાયા હતા. તમામ સામે છેતરપિંડી અને ધમકીની કલમો લગાવવામાં આવી હતી. તપાસ બાદ તપાસકર્તાએ 23 નવેમ્બર 2014ના રોજ ચાર્જશીટ દાખલ કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement