For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોદી-શાહ-ભાગવત-ડોભાલ-અદાણી-અંબાણીના ‘કમળવ્યૂહ’માં દેશ ફસાયો

05:05 PM Jul 29, 2024 IST | Bhumika
મોદી શાહ ભાગવત ડોભાલ અદાણી અંબાણીના ‘કમળવ્યૂહ’માં દેશ ફસાયો
Advertisement

જેવું અભિમન્યુ સાથે કરાયું હતું તેવું જ ભારતના લોકો સાથે કરવામાં આવી રહયું છે: સંસદમાં રાહુલ ગાંધીનું મહાભારત

બે લોકો દેશનું અર્થતંત્ર સંભાળી રહ્યા છે; પેપર લીક, બેરોજગારી સહિતના મુદ્દે વિપક્ષી નેતાની સટાસટી, સ્પીકર પણ ઉકળી ઉઠ્યા

Advertisement

સંસદમાં ચાલી રહેલા મોનસૂન સત્રના છઠ્ઠા દિવસે આજે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ બજેટ મુદ્દે ચર્ચા કરવા જોડાયા હતા. રાહુલ ગાંધી ફરી એકવાર આક્રમક અંદાજમાં દેખાયા અને તેમણે સરકારને ઘેરવાની શરૂૂઆત કરી હતી. અભિમન્યુને ચક્રવ્યૂહમાં ફસાવીને મારી નાખવાની ઘટનાનો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે જેવું અભિમન્યુ સાથે કરાયું હતું એવું જ આજના સમયમાં ભારતના લોકો સાથે કરવામાં આવી રહ્યું છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે ચક્રવ્યૂહનો વધુ એક સ્વરૂૂપ હોય છે પદ્મવ્યૂહ જે લોટસવ્યૂમાં હોય છે જેને મોદીજી તેમની છાતી પર લગાવીને ફરે છે. આ વ્યૂહને મોદી, અમિત શાહ, મોહન ભાગવત, અજિત ડોભાલ, અંબાણી અને અદાણી ક્ધટ્રોલ કરે છે. 21મી સદીમાં આ નવો ચક્રવ્યૂહ રચાયો છે.

જેવી જ રાહુલ ગાંધીએ અંબાણી અને અદાણી અને 6 લોકોના નામ લીધા ત્યારે સત્તાપક્ષે હોબાળો મચાવવાની શરૂૂઆત કરી દીધી હતી. તેના પર સ્પીકર ઓમ બિરલાએ રાહુલ ગાંધીને ટોક્યા અને કહ્યું કે જે સંસદના સભ્યો નથી તેમના નામ ગૃહમાં ન લેવામાં આવે. તેના પર રાહુલ ગાંધીએ ફરી કહ્યું કે તમે કહેતા હોવ તો હું એનએસએ, અંબાણી અને અદાણીનું નામ કાઢી નાખું છું સર.

રાહુલ ગાંધીએ કહ્યું કે બે લોકો દેશનું અર્થતંત્ર સંભાળી રહ્યા છે. સરકારને ઘેરતાં રાહુલે સવાલ કર્યો કે બજેટમાં યુવાઓ માટે તમે શું કર્યું? તેનાથી શું એક પણ યુવાને રોજગારી મળશે? તમારો જે ઈન્ટર્નશિપ પ્રોગ્રામ છે તે ફક્ત એક મજાક છે કેમ કે તમે જ કહ્યું છે કે ઈન્ટર્નશિપ દેશની ફક્ત ટોપ 500 કંપનીઓમાં જ થશે. તમે પહેલા યુવાઓના પગ ભાંગી નાખ્યા અને પછી તમે પાટાપિંડી કરવાના પ્રયાસ કરી રહ્યા છો.

યુવાઓને તમે એક તરફ પેપરલીક, બીજી તરફ બેરોજગારીના ચક્રવ્યૂહમાં ફસાવ્યા. 10 વર્ષમાં 70 વખત પેપર લીક થયા છે. પેપર લીક અંગે બજેટમાં એક શબ્દ ઉચ્ચાર્યો નથી. એજ્યુકેશન બજેટમાં જે પૈસા આપવાના હતા તે પણ ન આપ્યા. બીજી બાજુ પહેલીવાર તમે સૈન્યના જવાનોને અગ્નિવીરના ચક્રવ્યૂહમાં ફસાવ્યા. અગ્નિવીરો માટે પણ એક રૂૂપિયો આપ્યો નથી.

રાહુલ ગાંધીએ ખેડૂતોની વાત કરતાં સરકાર પર જમીન અધિગ્રહણ કાયદાને નબળો કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તમે ખેડૂતો માટે ત્રણ કાળા કાયદા લાવ્યા. ખેડૂત તમારાથી એમએસપીની લીગલ ગેરન્ટી માગી રહ્યા છે. તમે એમને બોર્ડર પર અટકાવી રાખ્યા છે. ખેડૂતો મને અહીં મળવા આવવા માગતા હતા. તમે એમને અહીં આવતા અટકાવી દીધા. તેમના પર સ્પીકર ઓમ બિરલાએ ટોકતા કહ્યું કે ગૃહમાં ખોટું ન બોલશો. રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે હું ત્યાં ગયો ત્યારે તેમને આવવા દેવાયા.

સ્પીકરે કહ્યું કે તમે એમને મળ્યાં તેમાં ગૃહની એક મર્યાદાનું ઉલ્લંઘન થયું. ગૃહમાં સભ્ય ઉપરાંત કોઈ બાઈટ ન આપી શકે. તમારી હાજરીમાં તેમણે બાઈટ આપી. રાહુલ ગાંધીએ કહ્યું કે આ મને ખબર નહોતી. અન્નદાતા જે ઇચ્છે એ છે એમએસપીની લીગલ ગેરન્ટી. આ એટલું મોટું કામ છે. સરકારે બજેટમાં તેના વિશે જાહેરાત કરી હોત તો ખેડૂતો ચક્રવ્યૂહમાંથી બહાર નીકળી ગયા હોત. તમે જે કામ નથી કર્યું, અમે ખેડૂતોને કહી દેવા માગીએ છીએ કે અમે તે કરી બતાવીશું.

તમે કહ્યું ત્યારે થાળી વગાડી અને ટોર્ચ પેટાવી; હવે તમે મધ્યમ વર્ગને છરો ભોંકયો
રાહુલ ગાંધીએ કહ્યું કે મિડલ ક્લાસ બજેટથી પહેલા વડાપ્રધાનનો ટેકેદાર હતો. કોવિડ સમયે જ્યારે થાળી વગાડવા કહ્યું કે ત્યારે મિડલ ક્લાસના લોકોને થાળી વગાડી. તમે કહ્યું કે મોબાઇલ ફોનની ટોર્ચ સળગાવો તો મિડલ ક્લાસના લોકોએ એ પણ કર્યું પણ તમે મિડલ ક્લાસની પીઠમાં છરો ભોંક્યો. હવે મિડલ ક્લાસના લોકો તમને છોડી દેશે અને અહીં આવી જશે.

અદાણી-અંબાણી પાસે ભારતના ધનની મોનો પોલી; અમે તો બોલશું
રાહુલ ગાંધીએ અદાણી અને અંબાણી વિશે ઘેરતાં કહ્યું કે આ જે બે લોકો છે તે ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અને બિઝનેસને ક્ધટ્રોલ કરે છે સર. તેમની પાસે એરપોર્ટ છે, ટેલીકોમ છે, હવે રેલવેમાં જઈ રહ્યા છે સર. તેમની પાસે ભારતના ધનની મોનોપોલી છે. જો તમે કહો કે તેમના વિશે ન બોલી શકીએ તો આ અમને સ્વીકાર્ય નથી. અમે તો બોલીશું.

Advertisement
Tags :
Advertisement
Advertisement