For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

'પાંચના કારણે 2 લાખ વિધાર્થીઓના કરિયરને જોખમમાં ન નાખી શકાય..' સુપ્રીમ કોર્ટે ફગાવી NEET-PG પરીક્ષા મોકૂફ કરવાની માંગ

06:39 PM Aug 09, 2024 IST | Bhumika
 પાંચના કારણે 2 લાખ વિધાર્થીઓના કરિયરને જોખમમાં ન નાખી શકાય    સુપ્રીમ કોર્ટે ફગાવી neet pg પરીક્ષા મોકૂફ કરવાની માંગ
Advertisement

સુપ્રીમ કોર્ટે 11 ઓગસ્ટે યોજાનારી NEET PG પરીક્ષાને સ્થગિત કરવાની માંગને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું છે કે, બે લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, ચાર લાખથી વધુ તેમના વડીલ હશે અને અહીં પરીક્ષા મોકૂફ કરાવવા માટે ચાર વિદ્યાર્થીઓ આવ્યા છે. દેશમાં આટલી સમસ્યા છે અને તમે ઇચ્છો છો કે હવે પરીક્ષા મોકૂફ થાય.

અરજીમાં કરનારે કહ્યું હતું કે કેન્દ્રોની ફાળવણી ગેરરીતિઓને રોકવા માટે કરવામાં આવી હતી, પરંતુ સમયની મર્યાદાને કારણે ઉમેદવારો માટે ચોક્કસ શહેરોમાં મુસાફરીની વ્યવસ્થા કરવી મુશ્કેલ છે. પરીક્ષા કેન્દ્રની જાણકારી આઠમી તારીખે અપાઈ જ્યારે પરીક્ષા 11મી તારીખે છે. એવામાં આટલા ઓછા સમયમાં વિદ્યાર્થીઓ માટે ત્યાં પહોંચવું મુશ્કેલ થશે.

Advertisement

CJI DY ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે કહ્યું કે તે ચાર પાંચ વિદ્યાર્થીઓને કારણે 2 લાખ વિદ્યાર્થીઓની કારકિર્દીને જોખમમાં નાખી શકે નહીં. આના પર અરજદારો તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સંજય હેગડેએ કહ્યું કે 50 થી વધુ હજારો વિદ્યાર્થીઓએ તેમને આ અંગે મેસેજ કર્યો છે.

અરજદાર વતી સુપ્રીમ કોર્ટમાં અન્ય એક મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું કે, "આ પરીક્ષા બે બેચમાં લેવામાં આવનાર છે અને ઉમેદવારોને નોર્મલાઇઝેશન ફોર્મ્યુલા ખબર નથી, જે મનસ્વીતાની આશંકાઓને જન્મ આપે છે."

અરજદારની માંગ

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, "આ પરીક્ષામાં બે લાખથી વધુ વિદ્યાર્થીઓ બેસવાના છે. આ પરીક્ષા 185 પરીક્ષાના શહેરોમાં યોજાવાની છે, જેના કારણે ટ્રેનની ટિકિટ ઉપલબ્ધ થશે નહીં અને હવાઈ ભાડામાં પણ વધારો થશે, જેના કારણે મોટી સંખ્યામાં ની સંખ્યા વિદ્યાર્થીઓ માટે તેમના પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવું લગભગ અશક્ય બની જશે."

અરજદારોનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટે દલીલ કરી હતી કે પારદર્શિતાનો અભાવ અને દૂરના પરીક્ષા કેન્દ્રો દ્વારા ઊભા કરાયેલા પડકારો ઘણા વિદ્યાર્થીઓને નુકસાન પહોંચાડી શકે છે. અરજીકર્તાઓમાંના એક વિશાલ સોરેને સૂચન કર્યું હતું કે એક જ બેચમાં પરીક્ષા લેવાથી તમામ ઉમેદવારો માટે સમાન પરીક્ષાનું વાતાવરણ સુનિશ્ચિત થશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement