ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સંસદ અને લાલ કિલ્લાને ઉડાવી દેવાની આતંકી પન્નુની ધમકી

04:55 PM Jul 22, 2024 IST | Bhumika
Advertisement

ખાલિસ્તાનીઓએ સંસદ અને લાલ કિલ્લાને ઉડાવી દેવાની ધમકી આપી છે. કેરળના રાજ્યસભા સાંસદ વી શિવદાસનના જણાવ્યા અનુસાર, તેમને ફોન પર આ ધમકી મળી હતી. સાંસદના જણાવ્યા અનુસાર, તેમને એક ફોન કોલ આવ્યો હતો જેમાં તેમને ધમકી આપવામાં આવી હતી કે સંસદ ભવન અને લાલ કિલ્લાને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. તેમણે કહ્યું કે આ ફોન કોલ શીખ ફોર જસ્ટિસના નામે કરવામાં આવ્યો હતો. સાંસદ વી શિવદાસને આ મામલે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેણે જણાવ્યું છે કે તેને જઉંઋના નામે ફોન આવ્યો હતો. વી શિવદાસન કેરળના સીપી આઈ(એમ) સાંસદ છે. ધમકી આપનાર વ્યક્તિએ ગુરપતવંત સિંહ પન્નુનું નામ પણ લીધું છે.

Advertisement

દરમિયાન અમેરિકામાં શીખ અલગતાવાદી નેતાને મારી નાખવાના કાવતરાના આક્ષેપો અંગે ભારત સાથેની વાટાઘાટો શાંતિપૂર્ણ અને અસરકારક રહી હતી કેમ કે તે બંધબારણે યોજાઇ હતી તેમ અમેરિકન પ્રમુખના નેશનલ સિક્યોરિટી એડવાઇઝર જેક સુલિવાને જણાવ્યું હતું.

ગયા વર્ષે નવેમ્બરમાં, યુએસ ફેડરલ પ્રોસિક્યુટર્સે ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર ન્યૂયોર્કમાં ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના નિષ્ફળ કાવતરામાં ભારત સરકારના કર્મચારી સાથે કામ કરવાનો આરોપ મૂક્યો હતો.

ભારતે રશિયા સાથે તેના સૈન્ય અને ટેક્નોલોજી સંબંધોને ગાઢ બનાવ્યા હોવાના કોઈ પુરાવા નથી તેમ જણાવતાં સુલિવાને જણાવ્યું હતું કે રશિયા હવે ચીનનો પજૂનિયર પાર્ટનરથ છે. તેથી તે ભવિષ્યમાં આકસ્મિક પરિસ્થિતિમાં ભારત માટે મહાન અને ભરોસાપાત્ર મિત્ર બને તે જરૂૂરી નથી.

Tags :
indiaindia newsParliamentRed Fortterrorist Pannu
Advertisement
Next Article
Advertisement