રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અમેઠીમાં શિક્ષક, પત્ની અને બે બાળકોની ગોળી મારી હત્યા

11:15 AM Oct 04, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ભાડાના મકાનમાં રહેતા શિક્ષક, તેની પત્ની અને બે બાળકોની એક પછી એક ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગુરુવારે સાંજે લગભગ 7 વાગ્યે શિવરતનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મકાનમાં ઘૂસીને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો, જેના પછી ત્યાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

35 વર્ષના શિક્ષક સુનીલ કુમાર, તેની પત્ની અને બે બાળકો સાથે શિવરતનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના અહોરવા ભવાની નગરના મુખ્ય ચોક પર ભાડાના મકાનમાં રહેતા હતા. સુનિલ કુમાર પીએમશ્રી વિદ્યાલય પન્હૌનામાં સહાયક શિક્ષક હતા. ગુરુવારે સાંજે કેટલાક સશસ્ત્ર લોકો તેમના ઘરે પહોંચ્યા હતા.

બદમાશોએ સુનીલ કુમારને નિશાન બનાવીને ગોળીબાર કર્યો હતો. તેમના બચાવમાં આવેલી તેમની પત્ની અને બે બાળકો પણ ગોળીનો શિકાર બન્યા હતા. ચારેય લોકોને સીએચસી સિંહપુર લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તમામને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાની માહિતી મળતાં જ એસપી અનુપ કુમાર સિંહ ભારે પોલીસ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. એએસપી હરેન્દ્ર પ્રતાપનું કહેવું છે કે ફાયરિંગમાં શિક્ષક, તેમની પત્ની, પુત્ર અને પુત્રીના મોત થયા છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

એસપી અનૂપ સિંહનું કહેવું છે કે કેટલાક લોકોએ શિક્ષકના પરિવાર પર ગોળીબાર કર્યો હતો. જેના કારણે શિક્ષક, તેની પત્ની અને બે પુત્રીઓના મોત થયા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સુનીલ કુમારે રાયબરેલી કોટાલીમાં ચંદન વર્મા વિરુદ્ધ છેડતી અને એસસી-એસટી એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો. આ ઘટના સાથે આ ઘટનાનો કોઈ સંબંધ છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. સંભવિત સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે.

Tags :
AmethiAmethi newsmurderUttar PradeshUttar Pradesh news
Advertisement
Next Article
Advertisement