ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

યુએસથી પરત ફરતા ભારતીયો માટે ટેક્સનો બોજ વધવા શકયતા

06:02 PM Dec 05, 2025 IST | Bhumika
Advertisement

પ્રોફેશનલ્સ, નિવૃત્ત લોકો અને રિમોટલી કામ કરતા ભારતીયો કે જેઓ યુએસથી પરત ફરી રહ્યા છે, તેમના માટે હવે ટેક્સનો હાઉ ઊભો થયો છે. અત્યાર સુધી, ભારત-યુએસ કરારના લાભને કારણે તેઓ ભારતમાં સંપૂર્ણ નિવાસી (full residents)) ન બને ત્યાં સુધી યુએસમાંથી થતી કમાણી પર ઓછા દરે ટેક્સ ચૂકવતા હતા. જોકે, વોશિંગ્ટન દ્વારા ઓઇસીડી ટેક્સ ક્ધવેન્શન પરના તાજેતરના નિવેદનમાં સ્પષ્ટતા કરવામાં આવી છે, જેના પગલે આ ફાયદો હવે દૂર થઈ શકે છે.

Advertisement

યુએસ હવે RNOR (Resident But Not Ordinarily Resident) સ્ટેટસ ધરાવતા લોકોને સંધિના હેતુઓ માટે ભારતીય નિવાસી તરીકે ગણવાનો ઇનકાર કરી શકે છે. આનું કારણ એ છે કે RNOR ને ભારતમાં તેમની વૈશ્વિક આવક પર ટેક્સ લાગતો નથી, અને યુએસ માને છે કે છગઘછ ભારતમાં સંપૂર્ણ કરપાત્ર નથી.

યુએસના આ વલણને કારણે RNOR ઘટાડેલા વિથહોલ્ડિંગ ટેક્સ દરો માટેની પાત્રતા ગુમાવી શકે છે, જેનાથી તેમની યુએસ-આધારિત આવક પરનો ટેક્સ વધશે. પરિણામે:યુએસ સ્ટોક પરના ડિવિડન્ડ અને યુએસ બેંકોમાં એફડી પરના વ્યાજ પર હાલના 15-25% અને 15% ની સામે 30% ટેક્સ લાગી શકે છે. યુએસ પ્લેટફોર્મ્સ, એપ્સ, પુસ્તકો અથવા યુટ્યુબમાંથી થતી રોયલ્ટી આવક પર પણ 15-20% ને બદલે 30% ટેક્સ લાગી શકે છે.

Tags :
indiaindia newsIndianstax burdenUS
Advertisement
Next Article
Advertisement