For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દિવ્યાંગોની મજાક ઉડાવનારા સમય રૈના, અન્ય હાસ્ય કલાકારોને માફી માગવા સુપ્રીમનો આદેશ

04:57 PM Aug 25, 2025 IST | Bhumika
દિવ્યાંગોની મજાક ઉડાવનારા સમય રૈના  અન્ય હાસ્ય કલાકારોને માફી માગવા સુપ્રીમનો આદેશ

એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પ્રભાવક પ્રખ્યાત હાસ્ય કલાકાર સમય રૈના અને અન્ય લોકોને દિવ્યાંગોની મજાક ઉડાવવા બદલ માફી માંગવાનો કડક આદેશ આપ્યો છે.

Advertisement

કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે આવા કૃત્યો માટે યોગ્ય સજા અને દંડ પણ લાદવામાં આવશે. SMA ક્યોર ફાઉન્ડેશનની અરજી પર સુનાવણી દરમિયાન આ મામલો પ્રકાશમાં આવ્યો. અરજીમાં હાસ્ય કલાકારો પર દિવ્યાંગો વિરુદ્ધ અસંવેદનશીલ ટિપ્પણી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.લાઈવ એન્ડ લો અનુસાર, અરજીમાં સમય રૈના, વિપુન ગોયલ, બલરાજ પરમજીત સિંહ ઘાઈ, સોનાલી ઠક્કર અને નિશાંત જગદીશ તંવરના નામનો સમાવેશ થાય છે.

તેમના પર તેમના કાર્યક્રમો અને પોડકાસ્ટમાં આવી ટિપ્પણીઓ કરવાનો આરોપ છે, જેનાથી દિવ્યાંગોના ગૌરવને ઠેસ પહોંચે છે. આ અરજીની સુનાવણી જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમલ્યા બાગચી કરી રહ્યા છે.
આ અરજીને ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ વિવાદ સાથે સંકળાયેલા રણવીર અલ્લાહબાદિયા અને આશિષ ચંચલાનીના કેસ સાથે પણ જોડવામાં આવી છે. બંનેએ તેમની સામે નોંધાયેલી FIRને જોડવાની માંગ કરી છે.
કોર્ટે કેન્દ્ર સરકારને પક્ષકાર બનાવવાની મંજૂરી આપી અને એટર્ની જનરલને એવી માર્ગદર્શિકા તૈયાર કરવા કહ્યું જે બધાના અધિકારોનું રક્ષણ કરે અને કોઈના ગૌરવ, સન્માન અથવા આત્મ સન્માનને ઠેસ ન પહોંચાડે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement