For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુપ્રીમ કોર્ટે BLOના મૃત્યુ પર ચિંતા વ્યક્ત કરી, SIR માટે વધારાનો સ્ટાફ તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો

03:02 PM Dec 04, 2025 IST | Bhumika
સુપ્રીમ કોર્ટે bloના મૃત્યુ પર ચિંતા વ્યક્ત કરી  sir માટે વધારાનો સ્ટાફ તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો

Advertisement

સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)પર કામ ઝડપથી ચાલી રહ્યું છે.આ દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) પર કામનું દબાણ વધી રહ્યું છે. ઘણા અધિકારીઓએ આત્મહત્યા કરી હોવાના અહેવાલો સામે આવ્યા છે. દરમિયાન, સુપ્રીમ કોર્ટે હવે BLOsનો પક્ષ લીધો છે, રાજ્યોને SIR માટે વધારાનો સ્ટાફ તૈનાત કરવા વિનંતી કરી છે.

ગુરુવારે, સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) માટે તૈનાત બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) પર વધતા દબાણના જવાબમાં રાજ્યોને અનેક નિર્દેશો જારી કર્યા - જેમ કે કામના કલાકો ઘટાડવા, વધારાના સ્ટાફ તૈનાત કરવા અને માનવતાવાદી ધોરણે મુક્તિ માટેની વિનંતીઓ પર વિચારણા કરવી.

Advertisement

BLO આત્મહત્યાના અહેવાલો બાદ, સુપ્રીમ કોર્ટે રાજ્યોને SIR માટે વધારાનો સ્ટાફ તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો. વ્યક્તિગત BLO મુક્તિ વિનંતીઓ પર પણ કેસ-બાય-કેસ આધારે વિચારણા કરવામાં આવી હતી. TVK એ BLOs સામે દાખલ FIR અને જેલની ધમકીઓનો મુદ્દો ઉઠાવ્યો. કોર્ટે એમ પણ કહ્યું કે કોઈપણ BLO તેમની સમસ્યાઓ સાથે સીધા કોર્ટનો સંપર્ક કરી શકે છે.

SIR મુદ્દા અંગે, સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ચૂંટણી પંચમાં તૈનાત સરકારી કર્મચારીઓએ SIR ફરજો બજાવવી જોઈએ. જો બીએલઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે, તો વધારાના સ્ટાફને તૈનાત કરવામાં આવી શકે છે.

સુનાવણી દરમિયાન, ચૂંટણી પંચ (ECI) તરફથી દલીલ કરવામાં આવી કે એક બૂથ પર વધુમાં વધુ 1200 મતદારો હોય છે અને BLOને 30 દિવસમાં 1200 ફોર્મ લેવાના હોય છે, જે "વધારાનો બોજ નથી". આના પર CJIએ સવાલ કર્યો, "શું રોજના 10 ફોર્મ ભરવા પણ બોજ છે?" આનો વિરોધ કરતા, વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે વાસ્તવિકતા એ છે કે BLOને દરરોજ 40 ફોર્મ ભરવા પડે છે અને બહુમાળી ઇમારતોમાં જઈને માહિતી એકત્ર કરવી પડે છે, જે ખૂબ જ મહેનતનું કામ છે. ECIના વકીલે આને 'રાજકીય દલીલ' ગણાવી હતી.

સુપ્રીમ કોર્ટના મહત્વપૂર્ણ વચગાળાના નિર્દેશો

રાજ્ય સરકારો તાત્કાલિક વધારાના કર્મચારીઓ તૈનાત કરે જેથી કાર્યભાર સમાન રીતે વહેંચી શકાય.

જો કોઈ કર્મચારી સ્વાસ્થ્ય, ગર્ભાવસ્થા, પારિવારિક કારણો કે અન્ય અંગત પરિસ્થિતિઓને કારણે SIR ડ્યુટી કરી શકે તેમ ન હોય, તો તેની માંગ પર કેસ-ટુ-કેસ આધારે વિચારણા કરવામાં આવે.

BLOના મોતના કિસ્સામાં વળતર માટે, પીડિત પરિવારો વ્યક્તિગત અરજી દ્વારા રાહત માંગી શકે છે.

કપિલ સિબ્બલે સવાલ ઉઠાવ્યો કે જ્યારે યુપીમાં ચૂંટણી 2027માં છે, તો માત્ર બે મહિનામાં SIR પૂર્ણ કરવાની આટલી ઉતાવળ કેમ છે. જેના જવાબમાં ECIએ કહ્યું કે રાજ્ય પોલીસ પર તેમનું નિયંત્રણ નથી, તેથી નોટિસ જરૂરી છે. જોકે, કોર્ટે પુનરોચ્ચાર કર્યો કે રાજ્ય સરકારો વધુ સ્ટાફ આપીને આ દબાણ ઘટાડી શકે છે

Advertisement
Tags :
Advertisement
Advertisement