For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આવાં લોકોએ ભૂલથી પણ ન ખાવું જોઇએ પપૈયું, હેલ્થને થઇ શકે છે આડઅસર

02:40 PM Sep 10, 2024 IST | Bhumika
આવાં લોકોએ ભૂલથી પણ ન ખાવું જોઇએ પપૈયું  હેલ્થને થઇ શકે છે આડઅસર
Advertisement

પપૈયામાં વિટામીન A ભરપૂર માત્રામાં હોય છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પપૈયું ખાવાથી કબજિયાત દૂર થાય છે અને વજન પણ ઘટે છે. જાણો કયા લોકોએ ભૂલથી પણ પપૈયું ન ખાવું જોઈએ? ફળો પોષક તત્વોનો સારો સ્ત્રોત છે જે સ્વાસ્થ્ય માટે સારા છે. હેલ્થ એક્સપર્ટના મતે દરરોજ એક વાટકી પપૈયું ખાવું જોઈએ. જ્યારે ફળોની વાત આવે છે ત્યારે આપણે પપૈયાને કેવી રીતે ભૂલી શકીએ? પપૈયું એક એવું ફળ છે જે આખું વર્ષ મળે છે. તે સ્વાદ અને રસદાર સ્વાદથી ભરપૂર છે.

પીળા, પાકેલા પપૈયામાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે. સ્વાદ ઉપરાંત, તે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ ફાયદાકારક છે. પપૈયામાં વિટામીન, ફાઈબર અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. પપૈયું દરેક ઋતુમાં મળે છે. જો તમે આ રોજ ખાઓ તો મેદસ્વિતા નિયંત્રણમાં રહે છે. પપૈયું ખાવાથી શરીરને ભરપૂર પ્રમાણમાં ફાઈબર મળે છે. જેના કારણે પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. ડાયાબિટીસ, હૃદય અને કેન્સરની બીમારીઓમાં પપૈયું શરીર માટે સારું માનવામાં આવે છે. કેટલાક લોકોએ પપૈયું બિલકુલ ન ખાવું જોઈએ. તેનાથી તેમની બીમારી વધી શકે છે. આવો જાણીએ ક્યા લોકોએ પપૈયુ ન ખાવું જોઈએ

Advertisement

કિડનીમાં પથરીના દર્દીઓએ પપૈયું ન ખાવું જોઈએ.

જે લોકોને કિડનીની બિમારી હોય અથવા કિડનીમાં પથરી હોય તેમણે પપૈયું ન ખાવું જોઈએ. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે પપૈયામાં વિટામિન સી હોય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. જો તમે પથરીના દર્દી છો અને પપૈયુ ખાઓ છો તો તમારી સમસ્યા વધી શકે છે. પપૈયું ખાવાથી ઓક્સાલેટની સમસ્યા વધી શકે છે.

પેટની સમસ્યા

પપૈયાનું સેવન કરવાથી પેટની સમસ્યાઓ જેમ કે ઝાડા અથવા પેટમાં દુખાવો વધી શકે છે. પેટની સમસ્યાથી પીડિત લોકોએ પપૈયું ખાતા પહેલા ડૉકટર્સની સલાહ લેવી જોઈએ.

ગર્ભવતી મહિલાઓ

પપૈયામાં પેપેન નામનું એન્ઝાઈમ હોય છે જે યુટરેસને કોન્ટ્રેક્ટ કરવા લાગે છે. તેના કારણે પ્રીમેચ્યોર ડિલીવરીનું જોખમ વધી જાય છે. કેટલાક કિસ્સામાં તેના કારણે ગર્ભપાતનું જોખમ પણ વધી શકે છે.

એલર્જી પીડિતો

જે લોકો એલર્જીથી પીડાય છે તેમણે પણ પપૈયું ન ખાવું જોઈએ. કાઈટિનસ લેટેક્ષ સાથે ક્રોસ પ્રતિક્રિયા થઈ શકે છે. જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે.

દવા લેતા લોકો

અમુક દવાઓના સાથે પપૈયાનું રિએક્શન આવી શકે છે. જો તમે કોઈ દવા લઈ રહ્યા હોવ તો પપૈયું ખાતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી.

Advertisement
Tags :
Advertisement
Advertisement