For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શંભુ સીમાએ સંગ્રામ: ખેડૂતોનો પથ્થરમારો, પોલીસના ટિયરગેસ

05:28 PM Feb 13, 2024 IST | Bhumika
શંભુ સીમાએ સંગ્રામ  ખેડૂતોનો પથ્થરમારો  પોલીસના ટિયરગેસ

પંજાબ- હરિયાણા સરહદે બેરિકેડ તોડી આગળ વધતાં બલરામ: અમદાવાદનો કાર્યક્રમ ટૂંકાવી અમિત શાહ મારતા ઘોડે દિલ્હી પહોંચ્યા: સુપ્રીમ કોર્ટે આંદોલનથી ટ્રાફિક સમસ્યાનું સંજ્ઞાન લીધું

Advertisement

કેન્દ્રના બે પ્રધાનો સાથે છ મહીનાના રાશન સાથે 25000થી વધુ ટ્રેકટરો સાથે વાતચીત નિષ્ફળ જતાં ખેડૂત આંદોલનકારીઓએ આજે પંજાબના ફતેહપુર સાહિબથી દિલ્હી તરફ કુચ કરી હતી. ખેડુતોને પાટનગરમાં પ્રવેશવા અટકાવવા કોંક્રીટ બ્લોકને ખીલા ધરબી દેવાયા હતા. જો કે સ્થાનિકોએ તેને ઉખેડી ફેંકી દીધા હતા. આથી આજે પંજાબ-હરિયાણાની શંભુ સરહદે પથ્થરમારાનો બનાવ બન્યા બાદ ખેડુતોને આગળ વધતા અટકાવવા ડ્રોનથી ટીયરગેસ છોડાતાં ભાગદોડ મચી ગઇ હતી. બીજીબાજુ ગૃહપ્રધાન અમિત શાહ આજે ગુજરાતનો પ્રવાસ ટુંકાવી ખેડુત આંદોલનના સંદર્ભમાં દિલ્હી દોડી ગયા હતા. બીજી બાજુ સુપ્રીમ કોર્ટે ખેડુત આંદોલનના કારણે બેરિકેડ ગોઠવતા ટ્રાફિક અવ્યવસ્થાનું સંજ્ઞાન લીધું હતું. ચીફ જસ્ટીસ ચંદ્રચુડે વકીલોને જણાવ્યું હતું કે ટ્રાફિક વ્યવસ્થાથી પરેશાન તે લોકો તેમનો સંપર્ક કરી શકે છે. જો કે સુપ્રીમ કોર્ટે કોઇ આદેશ જારી કરવા ઇન્કાર કર્યો હતો. બીજી બાજુ દિલ્હી સરકારે બવાના સ્ટેડીયમને ઓપન જેલમાં ફેરવવાનો કેન્દ્રનો પ્રસ્તાવ ઠુકરાવી ખેડુત આંદોલનને વાજબી ઠરાવ્યું હતું.

દિલ્હીમાં હિંસા ન ફેલાય એ માટે સુરક્ષા વ્યવસ્થા કરી દેવામાં આવી છે.. સિંઘુ બોર્ડરના નજીક કેટલાક રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે જ્યારે અન્ય રસ્તાઓ પર સિમેન્ટના બેરિકેડિંગથી રસ્તાઓ બંધ કરવામાં આવી રહ્યા છે. રાજધાની દિલ્લીમાં આંદોલનકારી ખેડૂતો પ્રવેશ ન કરે એ માટે કેન્દ્રીય સુરક્ષાદળની પણ મદદ લેવામાં આવી છે.

Advertisement

સિંઘુ બોર્ડર પર છઅઋ, રાયોટ ક્ધટ્રોલ વેહિકલ, વજ્ર, ઈછઙઋ સહિતનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.. એટલું જ નહીં સિંઘુ બોર્ડર પર મહિલા પોલીસ અધિકારીઓને પણ મોટી માત્રામાં તૈનાત કરવામાં આવ્યા છે. આ દ્રશ્યો પરથી એટલું તો સ્પષ્ટ નક્કી થાય છેકે, સરકાર આંદોલનના નામે દેશની રાજધાનીમાં હિંસા ફેલાવવા માટે કોઈપણ પ્રકારનો મોકો આપવા માગતી નથી.

ઓલ ઈન્ડિયા ખેડૂત સભાએ પણ ખેડૂતોના આ આંદોલનથી દૂરી બનાવી છે, જોકે, સંયુક્ત કિસાન મોરચાના બેનર હેઠળ આગામી 16 ફેબ્રુઆરી રાષ્ટ્રવ્યાપી બંધનું આહ્વાન કરવામાં આવ્યું છે, જેમાં તમામ ખેડૂતો અને મજૂરો હડતાળ કરશે અને કામકાજ બંધ રાખશે.

16મીએ મેદાનમાં આવશે રાકેશ ટિકૈત
ખેડૂતોના પ્રયાસો 2020ના આંદોલનની જેમ આ વખતે પણ આંદોલનને એવા સ્તરે લઈ જવાના રહેશે કે સરકારને ગત વખતની જેમ તેમની માંગણીઓ સામે ઝુકવું પડે. જો કે, આ વિરોધમાં હાલમાં એક વ્યક્તિ દેખાતી નથી, અને તે છે રાકેશ ટિકૈત. રાકેશ ટિકૈત અગાઉના ખેડૂત આંદોલનની ઓળખ બની ગયા હતા.

રાકેશ ટિકૈત ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા છે. આ આંદોલનમાં ટિકૈત ભલે ન દેખાય પરંતુ તેમણે બીજા આંદોલનનો હુંકાર કર્યો છે. ટિકૈતે કહ્યું છે કે 16 ફેબ્રુઆરીએ તેમનો કિસાન સંયુક્ત મોરચા દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે અને રસ્તાઓ બ્લોક કરશે. ટિકૈતના સંગઠન અને તેની સાથે જોડાયેલા ખેડૂતોની ભાવિ રણનીતિ શું છે, તે પણ 16 ફેબ્રુઆરીએ ટિકૈત જણાવશે.

MSP મુદ્દે મડાગાંઠથી વાતચીત નિષ્ફળ

દિલ્હી સુધી કૂચ કરવા પર મક્કમ રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે ઘણી માંગણીઓ પર સહમતિ સધાઈ હોવાનું સામે આવી રહ્યું છે. જોકે, ખજઙની ગેરંટી મુદ્દે મામલો અટવાયેલો છે. કેન્દ્ર સરકાર દ્વારા એમએસપી મુદ્દે હાઈ પાવર કમિટી બનાવવાની વાત ચાલી રહી છે. ખેડૂત આ માટે તૈયાર નથી. જો કે દાવો કરવામાં આવી રહ્યો છે કે કિચડીગઢમાં ખેડૂત નેતાઓના પ્રતિનિધિઓ અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે ચાલી રહેલી બેઠકમાં સરકાર અને ખેડૂતો ઘણા મુદ્દાઓ પર એકબીજા સાથે સહમત થયા છે.ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે ચાલી રહેલી બેઠકમાં એમએસપીની ગેરંટીનો મુદ્દો અટવાયેલો છે, સરકારે એમએસપી મુદ્દે હાઈ પાવર કમિટી બનાવવાનું અને તેમાં ખેડૂત આગેવાનોને સામેલ કરવાની ખાતરી આપી છે. પરંતુ ખેડૂતો તેનો ઈન્કાર કરી રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે સરકારે આ અંગે નક્કર જાહેરાત કરવી પડશે.મીટિંગ બાદ કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ કહ્યું, ખેડૂત સંગઠનો સાથે ગંભીરતા સાથે વાતચીત થઇ. સરકાર હંમેશા ઇચ્છે છે કે વાતચીતના માધ્યમથી સમાધાન નીકળે..મોટાભાગના વિષયો પર અમે સહમતિ સુધી પહોંચ્યા પરંતુ કેટલાક વિષયો પર અમે સ્થાઇ સમાધાન માટે કમિટી બનાવવા કહ્યુંઅમે હજુ પણ માનીએ છીએ કે કોઇ પણ સમસ્યાનું સમાધાન વાતચીતથી થઇ શકે છે..અમને આશા છે કે આગળ વાતચીત દ્વારા અમે સમાધાન કાઢી લઇશું,

Advertisement
Tags :
Advertisement
Advertisement