For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

SRK-ગૌરી ખાન પાસે છે માત્ર 7 દિવસનો જ સમય!! સમીર વાનખેડે માનહાનિના કેસમાં દિલ્હી હાઈકોર્ટે પાઠવ્યું સમન્સ

02:57 PM Oct 08, 2025 IST | Bhumika
srk ગૌરી ખાન પાસે છે માત્ર 7 દિવસનો જ સમય   સમીર વાનખેડે માનહાનિના કેસમાં દિલ્હી હાઈકોર્ટે પાઠવ્યું સમન્સ

Advertisement

આર્યન ખાનની પહેલી સીરીઝ "બેડ્સ ઓફ બોલીવુડ"નું પ્રીમિયર થયું ત્યારથી ભૂતપૂર્વ NCB અધિકારી સમીર વાનખેડે સમાચારમાં છે. તેમણે "બેડ્સ ઓફ બોલીવુડ" સામે માનહાનિનો દાવો દાખલ કર્યો હતો. આ કેસમાં 8 ઓક્ટોબરના રોજ સુનાવણી થઈ હતી. દિલ્હી હાઈકોર્ટે બુધવારે જાણીતા અભિનેતા શાહરૂખ ખાન, તેમની પત્ની ગૌરી ખાનની કંપની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ તથા ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ સામે માનહાનિના કેસમાં સમન્સ જાહેર કર્યા છે.

વાનખેડેએ પોતાની અરજીમાં આક્ષેપ કર્યો છે કે, 18 સપ્ટેમ્બર 2025ના રોજ રિલીઝ થયેલી વેબ સિરીઝ "ધ બેડ્સ ઓફ બોલિવૂડ" દ્વારા તેમની પ્રતિષ્ઠા ને નુકસાન થયું છે. આ શો રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત છે અને નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થયો છે.

Advertisement

તાજેતરની માહિતી અનુસાર, દિલ્હી હાઈકોર્ટે રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને નેટફ્લિક્સને આ મામલે પોતાનો જવાબ દાખલ કરવા કહ્યું છે. તેમણે 7 દિવસની અંદર જવાબ આપવો પડશે. સમીર વાનખેડેએ શાહરૂખ ખાન અને ગૌરી ખાનની કંપની વિરુદ્ધ આ માનહાનિનો દાવો દાખલ કર્યો છે. બેડ્સ ઓફ બોલિવૂડ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ રિલીઝ થઈ હતી. ઓટીટી સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સ વિરુદ્ધ પણ અરજી દાખલ કરવામાં આવી છે. વાનખેડેનો આરોપ છે કે શ્રેણીમાં આર્યન ખાનની છબી જાણી જોઈને ખોટી અને નકારાત્મક રીતે દર્શાવવામાં આવી હતી, જેનાથી તેમની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે.

સમીર વાનખેડેએ શ્રેણીના પ્રસારણ પર પ્રતિબંધ અને માનહાનિ માટે ₹2 કરોડનું વળતર માંગ્યું છે. તે આ પૈસા કેન્સરના દર્દીઓની સારવાર માટે દાન કરવા માંગે છે.

આગામી સુનાવણી ક્યારે થશે?

રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને અન્યોને જવાબ આપવા માટે 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ કેસમાં આગામી સુનાવણી 30 ઓક્ટોબરે થવાની છે. દરેક વ્યક્તિ આ હાઇ-પ્રોફાઇલ કેસમાં અંતિમ ચુકાદાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement