For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મણિપુરમાં એસ.પી. કચેરી ઉપર ટોળાંનો હુમલો, ગોળીબારમાં બેનાં મોત, 25 ઘવાયા

11:22 AM Feb 16, 2024 IST | Bhumika
મણિપુરમાં એસ પી  કચેરી ઉપર ટોળાંનો હુમલો  ગોળીબારમાં બેનાં મોત  25 ઘવાયા

મણિપુરના ચુરાચંદપુર જિલ્લામાં ગુરુવારે (15 ફેબ્રુઆરી) મોડી રાત્રે 300-400 લોકોના ટોળાએ એસપી ઓફિસ પર હુમલો કર્યો હતો. લોકોએ એસપી ઓફિસ પર પથ્થરમારો કર્યો હતો. બસ અને આસપાસના વિસ્તારોમાં આગ લગાવી દેવામાં આવી હતી. જવાબમાં રેપિડ એક્શન ફોર્સ (છઅઋ) અને અન્ય સુરક્ષા દળોએ ટીયર ગેસના શેલ ગોળીબાર કર્યો, જેમાં બે લોકોના મોત થયા હતા અને લગભગ 25 લોકો ઘાયલ થયા છે. તાજેતરની હિંસા બાદ ચુરાચંદપુરમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા 5 દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે હુમલાખોરો પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાનો વિરોધ કરી રહ્યા હતા. ચુરાચંદપુર કુકી - જે આદિવાસી પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. તે રાજધાની ઇમ્ફાલથી 65 કિલોમીટર દૂર છે. મણિપુરમાં મે 2023માં શરૂૂ થયેલી હિંસામાં ચૂરાચંદપુર સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાંનો એક હતો.

Advertisement

મણિપુર પોલીસના જણાવ્યા અનુસાર, 14 ફેબ્રુઆરીએ હેડ કોન્સ્ટેબલ શ્યામલાલ પોલનો એક વીડિયો સામે આવ્યો હતો. આમાં તે સશસ્ત્ર બદમાશો સાથે જોવા મળ્યો હતો. હેડ કોન્સ્ટેબલે બંકરમાં બદમાશો સાથે સેલ્ફી પણ લીધી હતી, જે વાયરલ થઈ હતી.

આ પછી એસપીએ તેને સસ્પેન્ડ કરી દીધો હતો. દેખાવકારોનો આરોપ છે કે હેડ કોન્સ્ટેબલને ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તેમણે સિયામલપોલને પુન:સ્થાપિત કરવાની માંગ કરી હતી. કુકી-જો સિવિલ સોસાયટી ગ્રુપ ઈન્ડીજીનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ (આઈટીએલએફ) એ હિંસા બાદ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આજની રાતની ઘટના માટે ચુરાચંદપુર એસપી સંપૂર્ણપણે જવાબદાર છે.
કુકી-જો આદિવાસીઓનો આરોપ છે કે રાજ્ય પોલીસની સાથે મળીને તેમના ગામો પર વારંવાર હુમલા કરવામાં આવી રહ્યા છે. જો કે, પોલીસે આ આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે કુકી-જો બદમાશો ગ્રામ રક્ષા સ્વયંસેવકો (ગામ રક્ષા સ્વયંસેવકો)ને પ્રોત્સાહન આપવામાં સામેલ હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement