For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સંસદથી પહેલગામ સુધી છ હુમલાનો બદલો લીધો

05:32 PM May 07, 2025 IST | Bhumika
સંસદથી પહેલગામ સુધી છ હુમલાનો બદલો લીધો

ભારતે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. ઓપરેશન સિંદૂર હેઠળ, ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલોથી હુમલો કર્યો, જેમાં 90 થી વધુ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા. પાકિસ્તાન છેલ્લા ઘણા દાયકાઓથી ભારતમાં આતંકવાદ ફેલાવી રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. સરકારે બુધવારે ઓપરેશન સિંદૂર પછી એક વીડિયો જાહેર કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે આ કાર્યવાહી દ્વારા સંસદ હુમલાથી લઈને પહેલગામ સુધીના છ હુમલાઓનો બદલો લેવામાં આવ્યો છે.વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ પત્રકાર પરિષદને સંબોધતા એવા વીડિયો બતાવ્યા જેમાં 2001ના સંસદ હુમલા, 2002ના અક્ષરધામ મંદિર હુમલા, 2008ના મુંબઈ હુમલા, 2016ના ઉરી હુમલો, 2019ના પુલવામા હુમલો અને 2025ના પહેલગામ આતંકવાદી હુમલાના ક્લિપ્સ હતા. છેલ્લા દાયકામાં, પાકિસ્તાન તરફથી થયેલા આતંકવાદી હુમલાઓમાં સાડા ત્રણસોથી વધુ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 800 થી વધુ લોકો ઘાયલ થયા છે.

Advertisement

600 થી વધુ સૈનિકો પણ શહીદ થયા હતા. તે જ સમયે, પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલાઓમાં લગભગ 1400 ભારતીય સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા છે. વીડિયોમાં આટલી બધી માહિતી આપ્યા પછી, એવું કહેવામાં આવ્યું કે હવે કોઈ માહિતી નથી. પછી સ્ક્રીન પર પઓપરેશન સિંદૂરથ શબ્દો દેખાયા. એ સ્પષ્ટ છે કે ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા છેલ્લા અઢી દાયકામાં થયેલા છ આતંકવાદી હુમલાઓનો બદલો લીધો છે.

વિદેશ સચિવ વિક્રમ મિશ્રી અને બે મહિલા લશ્કરી અધિકારીઓએ આ હુમલાની સંપૂર્ણ વિગતો આપી અને કહ્યું કે ભારતે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે પહેલગામ આતંકવાદી હુમલો 2008ના મુંબઈ હુમલા પછીનો સૌથી મોટો હતો જેમાં આટલી મોટી સંખ્યામાં નાગરિકો માર્યા ગયા હતા. તેમણે કહ્યું કે આ હુમલો લશ્કર-એ-તૈયબા દ્વારા કરવામાં આવ્યો હતો, જે પાકિસ્તાનથી કાર્યરત છે. તેમણે કહ્યું કે આ હુમલાની જવાબદારી લશ્કર-એ-તૈયબાના સંગઠન ધ રેઝિસ્ટન્સ ફોર્સ દ્વારા લેવામાં આવી છે. વિદેશ સચિવે કહ્યું કે આ સંગઠન એક ફ્રન્ટ ગ્રુપ છે, જે લશ્કર અને જૈશ-એ-મોહમ્મદ જેવા જૂથોની આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપે છે.ભારત સરકારે કહ્યું કે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના નિવેદનમાંથી આ સંગઠનનો ઉલ્લેખ દૂર કરવા માટે તમામ પ્રયાસો કર્યા. આનાથી સાબિત થાય છે કે પાકિસ્તાનના આ સંગઠન સાથે સંબંધો હતા અને આ હુમલો તેની ઉશ્કેરણી પર થયો હતો.

Advertisement

ભારત દ્વારા કરવામાં આવેલી સમગ્ર કાર્યવાહીની માહિતી બે મહિલા અધિકારીઓ, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ દ્વારા આપવામાં આવી હતી. સોફિયા કુરેશીએ કહ્યું કે અમે પીઓકે અને પાકિસ્તાનમાં કુલ 9 આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. આ હુમલાઓ દરમિયાન, અમે ખાતરી કરી કે ફક્ત આતંકવાદીઓ જ માર્યા જાય અને કોઈ નાગરિકને નુકસાન ન થાય. તેમણે કહ્યું કે અમે કોટલી અબ્બાસમાં આતંકવાદી છાવણીનો નાશ કર્યો. આ કેમ્પમાં લગભગ 1500 આતંકવાદીઓને તાલીમ આપવામાં આવી હતી.
આ ઉપરાંત પાકિસ્તાની પંજાબના બહાવલપુર અને મહમૂના ઝોયામાં પણ આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો છે.

વિક્રમ મિશ્રીએ કહ્યું કે પાકિસ્તાનને આતંકવાદ માટે સુરક્ષિત આશ્રયસ્થાન તરીકે વિશ્વભરમાં ઓળખ મળી છે. વિક્રમ મિશ્રીએ કહ્યું કે 23 એપ્રિલે જ ભારત સરકારે સિંધુ જળ સંધિ અટકાવવા જેવા ઘણા કડક પગલાં લીધા હતા. આ પછી પણ પાકિસ્તાને આતંકવાદીઓ સામે કોઈ કાર્યવાહી કરી નહીં અને તેના બદલે ભારત પર દોષારોપણ કરવાનું ચાલુ રાખ્યું.

આવી સ્થિતિમાં, ભારતે જવાબ આપવાનું યોગ્ય માન્યું. આવી સ્થિતિમાં, ભારતે સરહદ પારથી થતા આતંકવાદી હુમલાઓને રોકવા અને તેનો જવાબ આપવા માટે કાર્યવાહી કરી છે. અમે માપદંડ મુજબ પગલાં લીધાં છે. અમે ફક્ત આતંકવાદી ઠેકાણાઓને જ નિશાન બનાવ્યા છે. તેમણે કહ્યું કે અમે અગાઉ પાકિસ્તાનને પણ જાણ કરી હતી કે લશ્કર અને જૈશના આતંકવાદી ઠેકાણા તેની ધરતી પરથી કાર્યરત છે. આ પછી પણ પાકિસ્તાને તેની સામે કોઈ કાર્યવાહી કરી નહીં. આવી સ્થિતિમાં, આપણી વિરુદ્ધ ઘડાઈ રહેલા આતંકવાદી કાવતરાઓને બંધ કરવાનો અધિકાર આપણો હતો.

પિકચર અભી બાકી હૈ: પૂર્વ સેના અધ્યક્ષ નરવણેનો સંકેત
ભારતીય સેનાના ભૂતપૂર્વ ચીફ ઓફ સ્ટાફ મનોજ નરવણેએ આજે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં ચેતવણી આપી હતી કે ઓપરેશન સિંદૂર ભારતની કાર્યવાહીની માત્ર એક ઝલક છે. અભી પિક્ચર બાકી હૈં મનોજ નરવણે, જે ભારતીય સેનાના 28મા ચીફ ઓફ આર્મી સ્ટાફ હતા, તેમણે ડ (અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતા) પર લખ્યું. આતંકવાદી સ્થળોને નિશાન બનાવવા માટે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં અનેક સ્થળોએ ભારતીય સંરક્ષણ હુમલાઓ કર્યાના કલાકો પછી આ વાત સામે આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement