સિંગર શિલ્પા અને સુખવિંદર સિંહે KBCમાં વર્ણવી સંગીતની સફર
પ્રખ્યાત પ્લેબેક સિંગર શિલ્પા રાવ અને સુખવિંદર સિંહ તાજેતરમાં ‘કૌન બનેગા કરોડપતિ’ના એક એપિસોડમાં આવ્યા હતા, જ્યાં શિલ્પાએ ફિલ્મ જવાનનું તેનું લોકપ્રિય ચાર્ટબસ્ટર ગીત ચલેયા ગાઈને સ્ટેજ પર એન્ટ્રી કરી. આ ખાસ એપિસોડમાં, બન્ને ગાયકોએ તેમની સંગીત યાત્રાઓ, વ્યક્તિગત વાર્તાઓ અને ખૂબ જ અર્થપૂર્ણ હાવભાવ શેર કર્યા હતા. જ્યારે શિલ્પાના માતાપિતા - શ્રીંગારપ્પા વેંકટ રાવ અને રાજનાલા શ્યામલા - પ્રેક્ષકોમાં હાજર હતા અને તેમની આંખો સમક્ષ તેમની પુત્રીના ગૌરવપૂર્ણ ક્ષણને જોયા ત્યારે શો વધુ ભાવનાત્મક રીતે ભરાઈ ગયો. એક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ પગલામાં, શિલ્પા રાવ અને સુખવિંદર સિંહે જાહેરાત કરી કે શોમાંથી તેમની જીતેલી રકમ નેબરહુડ વૂફ જે રખડતા કૂતરાઓના રક્ષણ, સંભાળ અને કલ્યાણ માટે સમર્પિત એનજીઓ છે તેને દાનમાં આપવામાં આવશે. આ નિર્ણયથી સમાજને પાછું આપવા અને તેમના હૃદયની નજીકના કાર્યોને ટેકો આપવાની તેમની પ્રતિબદ્ધતા પર ભાર મૂકવામાં આવ્યો.
કેબીસી દરમિયાન, શિલ્પાએ ખાસ કરીને સુખવિંદર સિંહના માર્ગદર્શનને યાદ કર્યું અને મુંબઈમાં તેની શરૂૂઆતની કારકિર્દી દરમિયાન તેમના અમૂલ્ય સમર્થન વિશે સમજાવ્યું. તેણે શેર કર્યું કે સુખવિંદર સિંહ તેની પ્રતિભાને ઓળખનારા અને તેને આગળ વધારવા માટે પ્રોત્સાહિત કરનારા પ્રથમ લોકોમાંના એક હતા. તેમણે હંમેશા મને પ્રેરણા અને ટેકો આપ્યો છે, શિલ્પાએ શેર કર્યું કે તેની સંગીત યાત્રા તેના પિતાના માર્ગદર્શન હેઠળ પાંચ વર્ષની ઉંમરે શરૂૂ થઈ હતી. તેના પિતાએ દશેરા પર શિલ્પાના બાળપણના પ્રદર્શનની એક યાદ પણ શેર કરી. શિલ્પાના પિતા, શ્રૃંગારપ્પા વેંકટ રાવ યાદ કરત અકહયું, નસ્ત્રમેં શિલ્પાને કહ્યું હતું કે મેં જે તૈયાર કર્યું છે તે ગાઓ અને તેણે 30 મિનિટથી વધુ સમય સુધી ગાયું. હું ફક્ત ત્યાં ઉભો રહીને તેને જોતો રહ્યો. તે દિવસે, મને સમજાયું કે સંગીત તેનામાં કેટલું સ્વાભાવિક રીતે રહે છે.