ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભારતને ઝટકો, કે.એલ. રાહુલ ત્રીજી ટેસ્ટમાં નહીં રમે, રવિન્દ્ર જાડેજાનું રમવું નિશ્ચિત

12:50 PM Feb 13, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

કે.એલ. રાહુલની જગ્યાએ દેવદત્ત પડિકલને તક મળી શકે

Advertisement

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ 15 ફેબ્રુઆરીથી રમાશે. રાજકોટમાં બંને ટીમો સામસામે ટકરાશે. પરંતુ આ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ રાજકોટ ટેસ્ટનો ભાગ નહીં હોય. પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાનું રમવું તેમની ફિટનેસ પર નિર્ભર રહેશે, પરંતુ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે કેએલ રાહુલ રમી શકશે નહીં. ટીમ ઈન્ડિયા માટે આ ખૂબ જ મોટો ઝટકો માનવામાં આવે છે.

ભારતીય ટીમનો વિકેટકીપર બેટ્સમેન સંપૂર્ણ રીતે ફિટ નથી, તેથી તે રાજકોટ ટેસ્ટમાં રમી શકશે નહીં. પરંતુ ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર છે કે રવિન્દ્ર જાડેજાને ફિટ જાહેર કરવામાં આવ્યો છે. એટલે કે રવિન્દ્ર જાડેજા ત્રીજી ટેસ્ટમાં રમશે તે લગભગ નિશ્ચિત છે. હાલમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝ 1-1 થી બરાબર છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ત્રીજી ટેસ્ટમાં કેએલ રાહુલની જગ્યાએ કર્ણાટકના બેટ્સમેન દેવદત્ત પડીકલનું રમવાનું નિશ્ચિત છે. ખરેખર, ડોમેસ્ટિક ક્રિકેટમાં દેવદત્ત પડિકલનું તાજેતરનું ફોર્મ શાનદાર રહ્યું છે. આથી દેવદત્ત પડિકલ રાજકોટ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની શકે છે. તમને જણાવી દઈએ કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે.

Tags :
cricketcricket newsindiaindia newsSportssports news
Advertisement
Advertisement