ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

હરિદ્વારમાં અસ્થિ પધરાવી પરત ફરતાં પરિવારના સાત સભ્યોનાં મોત

11:24 AM Sep 15, 2025 IST | Bhumika
Advertisement

રાજસ્થાનના જયપુર નજીક શિવદાસપુરા વિસ્તારમાં રિંગરોડ પર ગઇકાલના રોજ એક ભયાનક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના સાત લોકોના કરૂૂણ મોત નિપજ્યા છે. હરિદ્વાર ખાતે પિતાની અસ્થિઓનું ગંગામાં વિસર્જન કરી પરત ફરી રહેલા પરિવારની કાર બેકાબૂ બનીને અંડરપાસમાં ખાબકતા આ દુર્ઘટના સર્જાઈ હતી. મૃતકોમાં બે બાળકો અને બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

Advertisement

મળતી માહિતી અનુસાર, અજમેર જિલ્લાના કેકડીના વતની અને હાલ જયપુરના વાટિકા ક્ષેત્રમાં રહેતા કાલુરામ પોતાના પરિવાર સાથે હરિદ્વારથી પરત આવી રહ્યા હતા.

શિવદાસપુરામાં પ્રહલાદપુરા નજીક રિંગરોડ પર તેમની કાર પૂરપાટ ઝડપે જઈ રહી હતી ત્યારે અચાનક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.

બેકાબૂ બનેલી કાર ડિવાઈડર સાથે અથડાઈને લગભગ 16 ફૂટ નીચે પાણી ભરેલા અંડરપાસમાં ખાબકી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર તમામ સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

Tags :
accidentdeathindiaindia newsRajasthanRajasthan news
Advertisement
Next Article
Advertisement