આંધ્ર પ્રદેશમાં સાત માઓવાદી ઠાર, 50ની ધરપકડ: માધવી હિડમાના નેટવર્કનો સફાયો
આંધ્રપ્રદેશ પોલીસે માઓવાદીઓ સામે મોટી કાર્યવાહી શરૂૂ કરી છે. પોલીસ અને માઓવાદીઓ વચ્ચે ગોળીબારમાં સાત માઓવાદીઓ માર્યા ગયા. આંધ્રપ્રદેશ પોલીસે કૃષ્ણા, એલુરુ, એનટીઆર વિજયવાડા, કાકીનાડા અને ડો. બીઆર આંબેડકર કોનાસીમા જિલ્લામાંથી 50 સીપીઆઈ (માઓવાદી) કાર્યકરોની ધરપકડ કરી છે, જે સંગઠનના દક્ષિણ બસ્તર અને દંડકારણ્ય નેટવર્કને મોટો ફટકો છે.
આંધ્રપ્રદેશ પોલીસે જણાવ્યું હતું કે અટકાયત કરાયેલા માઓવાદીઓમાં વરિષ્ઠ માઓવાદી નેતાઓ, લોજિસ્ટિક્સ નિષ્ણાતો, સંદેશાવ્યવહાર કાર્યકરો, સશસ્ત્ર પ્લાટૂન સભ્યો અને પાર્ટીના સભ્યોનો સમાવેશ થાય છે, જેમાંથી ઘણા સીપીઆઈ (માઓવાદી) પાર્ટીના સેન્ટ્રલ કમિટી સભ્ય માધવી હિડમા સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા. માર્યા ગયેલા માઓવાદીઓમાં ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. ધરપકડ કરાયેલા લોકોમાં ઘણા વરિષ્ઠ માઓવાદી નેતાઓ અને માધવી હિડમાના નજીકના સહયોગીઓનો સમાવેશ થાય છે.
અધિકારીએ જણાવ્યું હતું કે શ્રીકાકુલમનો રહેવાસી શંકર આંધ્ર ઓડિશા બોર્ડર (અઘઇ) ના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ (અઈખ) હતો અને ટેકનિકલ બાબતો, શસ્ત્ર ઉત્પાદન અને સંદેશાવ્યવહારમાં નિષ્ણાત હતો.
અમરાવતી પોલીસે અહેવાલ આપ્યો હતો કે બુધવારે આંધ્રપ્રદેશના મારેડુમિલીમાં ગોળીબારમાં સાત માઓવાદીઓ માર્યા ગયા હતા. એપી ઇન્ટેલિજન્સ એડીજી મહેશ ચંદ્ર લદ્દાએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે મંગળવારના ઓપરેશન દરમિયાન અત્યાર સુધીમાં સાત માઓવાદીઓ માર્યા ગયા છે. મૃતકોમાં ત્રણ મહિલા માઓવાદીઓનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે એક પુરુષની ઓળખ મેતુરી જોખા રાવ ઉર્ફે શંકર તરીકે થઈ છે. બાકીના માર્યા ગયેલા માઓવાદીઓની ઓળખ ચાલુ છે.