રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સુપ્રીમના સિનિયર વકીલ ફલી નરિમાનનું 95 વર્ષની વયે નિધન

11:36 AM Feb 21, 2024 IST | Bhumika
Advertisement

સુપ્રીમ કોર્ટના વકીલ ફલી એસ નરીમનનું 95 વર્ષની ઉંમરમાં નિધન થયુ છે. તે ઇન્દિરા સરકારના સમયે દેશના એડિશનલ સોલિસિટર જનરલ  રહ્યાં હતા. સીનિયર વકીલને યાદ કરતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે એક લિવિંદ લીજેન્ડ હતા, જેમણે કાયદા અને સાર્વજનિક જીવન સાથે જોડાયેલા લોકો હંમેશા યાદ કરશે. પોતાની સિદ્ધિ સિવાય તે પોતાના સિદ્ધાંતો પર અટલ રહ્યાં હતા.

Advertisement

ફલી એસ નરીમનના પુત્ર રોહિંટન નરીમન પણ સીનિયર વકીલ રહી ચુક્યા છે અને સુપ્રીમ કોર્ટમાં જજ છે. નરીમને વકીલ તરીકે કરિયરની શરૂૂઆત નવેમ્બર 1950માં કરી હતી, તેમના જીવન સાથે જોડાયેલો એક કિસ્સો ચર્ચામાં રહ્યો હતો જ્યાં તેમણે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સરકારના નિર્ણય વિરૂૂદ્ધ અજૠ પદેથી રાજીનામું આપી દીધુ હતું.

લાંબી કાયદાકીય કરિયર દરમિયાન નરીમન કેટલાક ઐતિહાસિક કેસનો ભાગ પણ રહી ચુક્યા છે જેમાં ગઉંઅઈનો નિર્ણય પણ સામેલ છે. તે જઈ અજ્ઞછ કેસમાં કોર્ટમાં હાજર થયા હતા. કહેવામાં આવે છે કે આ ઘટના કોલેજિયમ સિસ્ટમના અસ્તિત્વમાં આવવાનું મોટું કારણ હતું.

કહેવામાં આવે છે કે નરીમન વર્ષ 1975માં જાહેર થયેલી ઇમરજન્સીના સરકારના નિર્ણયથી નારાજ હતા. એક રિપોર્ટ અનુસાર, તેમણે પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધીની સરકાર તરફથી લેવામાં આવેલા ઇમરજન્સીના વિરોધમાં એડિશનલ સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયાના પદ પરથી રાજીનામું આપી દીધુ હતું.

1950માં બોમ્બે હાઇકોર્ટમાં વકીલ તરીકે કરિયરની શરૂૂઆત કરનારા નરીમન 1961માં સીનિયર એડવોકેટ બન્યા હતા, તેમની કાયદાકીય કરિયર 70 વર્ષ કરતા પણ વધુની રહી છે. બે દાયકા બાદ તે દિલ્હીમાં સુપ્રીમ કોર્ટમાં રહ્યાં હતા. તે બાદ મે 1972માં તેમણે એડિશનલ સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા બનાવવામાં આવ્યા હતા.

Tags :
indiaindia newslawyer Fali NarimanSenior Supreme Court lawyer
Advertisement
Next Article
Advertisement