શેરબજારમાં વિદેશી કંપની જેન સ્ટ્રીટ પર સેબીનો પ્રતિબંધ: 4843 કરોડનો નફો વસુલવા આદેશ
ભારતીય બજાર નિયમનકાર સેબીએ એક મહત્વપૂર્ણ આદેશ જારી કરીને જેન સ્ટ્રીટ ગ્રુપ અને તેની સંલગ્ન કંપનીઓ JSI ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, JSI2 ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, જેન સ્ટ્રીટ સિંગાપોર પ્રાઇવેટ લિમિટેડ અને જેન સ્ટ્રીટ એશિયા ટ્રેડિંગ લિમિટેડ પર શેરબજારમાં વેપાર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. સેબીના જણાવ્યા અનુસાર, આ કંપનીઓને હવે સીધા કે આડકતરી રીતે શેર ખરીદવા, વેચવા અથવા કોઈપણ પ્રકારના વ્યવહાર કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
SEBI એ તેના આદેશમાં કહ્યું છે કે જેન સ્ટ્રીટ ગ્રુપ દ્વારા કમાયેલા 4,843 કરોડ રૂૂપિયાના ગેરકાયદેસર નફાને જપ્ત કરવામાં આવશે. કંપનીઓને આ રકમ ભારતમાં માન્ય બેંકમાં એસ્ક્રો ખાતામાં જમા કરાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
ઉપરાંત, જેન સ્ટ્રીટના બેંક ખાતાઓમાંથી પૈસા ઉપાડવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે જઊઇઈંની પરવાનગી વિના કોઈ પણ વ્યવહાર શક્ય રહેશે નહીં.જેન સ્ટ્રીટે આગામી ત્રણ મહિનાની અંદર અથવા તેમની સમય મર્યાદા સમાપ્ત થાય ત્યાં સુધીમાં (જે વહેલું હોય તે) તેની બધી ઓપન ટ્રેડિંગ પોઝિશન બંધ કરવી પડશે. એટલે કે, કંપનીએ તેના બધા બાકી સોદા પૂર્ણ કરવા પડશે.
ફ્યુચર્સ અને ઓપ્શન્સ (FO) ટ્રેડિંગમાં, કેશ ઇક્વિવેલેન્ટએ એવી વસ્તુઓનો ઉલ્લેખ કરે છે જેને સરળતાથી રોકડમાં રૂૂપાંતરિત કરી શકાય છે, જેમ કે ટૂંકા ગાળાના રોકાણો. વેપારીઓ ઘણીવાર તેનો ઉપયોગ કોલેટરલ અથવા માર્જિન તરીકે કરે છે. આનાથી તેઓ વ્યાજ કમાઈ શકે છે અને FO ટ્રેડ પણ કરી શકે છે. જેન સ્ટ્રીટ પર બજારને હેરફેર કરવા માટે આ પદ્ધતિઓનો દુરુપયોગ કરવાનો આરોપ છે.