For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રતન ટાટાનું 86 વર્ષની વયે થયું નિધન, રાજકીય સન્માન સાથે કરાશે અંતિમ સંસ્કાર

10:01 AM Oct 10, 2024 IST | Bhumika
રતન ટાટાનું 86 વર્ષની વયે થયું નિધન  રાજકીય સન્માન સાથે કરાશે અંતિમ સંસ્કાર
Advertisement

ટાટા સન્સના માનદ ચેરમેન રતન ટાટા હવે નથી રહ્યા. 86 વર્ષની વયે તેમનું અવસાન થયું. રતન ટાટાએ ગઈ કાલે રાત્રે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમને થોડા દિવસ પહેલા ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે અહીં દાખલ કરવામાં આવ્યા હતા. બુધવારે રાત્રે જ તેમના પાર્થિવ દેહને હોસ્પિટલમાંથી ઘરે લાવવામાં આવ્યો હતો. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મુંબઈના નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ હોલમાં રાખવામાં આવશે. આજે સવારે 10 થી બપોરે 3.30 વાગ્યા સુધી લોકો અહીં તેમના અંતિમ દર્શન કરી શકશે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે રતન ટાટાને રાજ્ય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવશે.

શિવસેના (એકનાથ શિંદે જૂથ)એ સ્વર્ગસ્થ ઉદ્યોગપતિ રતન ટાટાને ભારત રત્ન આપવાની માંગ કરી છે. પાર્ટીના નેતા રાહુલ કનાલે મુખ્યમંત્રી એકનાથ શિંદેને પત્ર લખીને કેન્દ્ર સરકારને ભારત રત્ન માટે રતન ટાટાનું નામ મોકલવાની વિનંતી કરી છે.

Advertisement

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે ઉદ્યોગપતિ અને ટાટા સન્સના પૂર્વ ચેરમેન રતન ટાટાજીનું નિધન દુઃખદ છે. તેમણે પોતાની દૂરંદેશી, સાદગી અને સાદગીપૂર્ણ જીવનથી દરેકને પ્રેરણા આપી. તેમણે તેમના કાર્યો દ્વારા દેશની અર્થવ્યવસ્થામાં પ્રશંસનીય યોગદાન આપ્યું છે. રતન ટાટા જીના નિધનથી ઉદ્યોગને ન પુરી શકાય તેવી ખોટ પડી છે. અમે દિવંગત આત્માની શાશ્વત શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ.

રતન ટાટાના નિધન પર મહારાષ્ટ્રમાં એક દિવસના રાજ્ય શોકની જાહેરાત કરવામાં આવી છે. તમામ સરકારી ઈમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી લહેરાશે. આજે યોજાનાર તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. તેમના અંતિમ સંસ્કાર રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement