રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રણબીર કપૂરે ભાવપૂર્વક ગણપતિ વિસર્જન કર્યુ

01:12 PM Sep 12, 2024 IST | admin
Advertisement

ટ્રેડિશનલ લૂકમાં માતા સાથે આરતી ઉતારી

Advertisement

અભિનેતા રણબીર કપૂરે ગણપતિ વિસર્જન, દરમિયાન તેણે તેની માતા સાથે બાપ્પાની આરતી પણ કરી અને હાથ જોડીને બાપ્પાને વિદાય આપી હતી. બાપ્પાના વિસર્જન દરમિયાન રણબીર કપૂર ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યો હતો. જ્યારે નીતુ કપૂર પણ ટ્રેડિશનલ લુકમાં જ જોવા મળી હતી.

આ પ્રસંગે આલિયા જોવા મળી ન હતી. રણબીર કપૂર અને નીતુ કપૂરે આલિયા ભટ્ટ વિના કર્યું ગણપતિ વિસર્જન. રણબીર પોતે પોતાના ઘરેથી બાપ્પાની મૂર્તિ હાથમાં લઈને જોવા મળ્યો હતો. જ્યારે નીતુ કપૂરે હાથમાં કલશ પકડ્યો હતો. વિસર્જન માટે નિર્ધારિત સ્થળે બાપ્પાની મૂર્તિ મૂક્યા બાદ નીતુ કપૂરે બાપ્પાની આરતી ઉતારી હતી. જ્યારે રણબીરે હાથ જોડીને ભગવાન ગણેશના આશીર્વાદ લીધા હતા. ગણપતિ વિસર્જન દરમિયાન અભિનેતા ખુલ્લા પગે જોવા મળ્યો હતો. તેણે સફેદ રંગનો કુર્તા પાયજામા પહેર્યો હતો. નીતુ કપૂર સલવાર સૂટમાં જોવા મળી હતી. આ દરમિયાન રણબીર કપૂરને જોવા માટે ચાહકોની ભીડ પણ જોવા મળી હતી.

Tags :
ganpativisarjanindiaindia newsranbirkapoor
Advertisement
Next Article
Advertisement