For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મુંબઇમાં વરસાદનો કહેર: મોનો રેલના 582 યાત્રી બચાવાયા

12:06 PM Aug 20, 2025 IST | Bhumika
મુંબઇમાં વરસાદનો કહેર  મોનો રેલના 582 યાત્રી બચાવાયા

પાંચ દિવસમાં જૂન-જુલાઇના માસિક આંકડાથી વધુ વરસાદથી માયાનગરીના બેહાલ

Advertisement

મુંબઇમાં વરસાદનો કહેર ચાલુ છે. આજે પણ હવામાન ખાતાએ રેડ એલર્ટ જારી કરી છે. રેલવેએ આજે અનેક લોકલ ટ્રેનો રદ કરી છે. મહારાષ્ટ્રમાં પાંચ દિવસમાં 21 લોકોના મોત નોંધાયા છે. બીજી બાજુ ઇન્ડીગોએ ચેતવણી આપી છે કે પાણી ભરાવાના કારણે મુસાફરોને એરપોર્ટ પર પહોંચવા વિલંબ થઇ શકે છે અને હવાઇ ટ્રાફિક જામના કારણે ફલાઇટની કામગીરીને અસર પડી શકે છે. છેલ્લા પાંચ દિવસમાં મુંબઇમાં 837 મીમી વરસાદ પડયો છે. જે જુન (512.7 મીમી) અને જુલાઇ (793 મીમી)ના કુલ વરસાદ કરતા વધુ છે.

મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) દ્વારા શહેરમાં મુશળધાર વરસાદ વચ્ચે ટેકનિકલ ખામીને કારણે બે સ્ટેશનો વચ્ચે અટકી ગયેલી મુંબઈ મોનોરેલમાં ફસાયેલા તમામ 582 મુસાફરોને લગભગ ચાર કલાક પછી બચાવી લેવામાં આવ્યા હતા.

Advertisement

આ ઘટના સાંજે 6:15 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે મુસાફરોથી ભરેલી મોનોરેલ, વીજળી પુરવઠાની સમસ્યાને કારણે તેના એલિવેટેડ ટ્રેક પર અચાનક બંધ થઈ ગઈ હતી. મુસાફરો રેકમાં ફસાયેલા હતા અને તેમને બચાવવા માટે સ્કાય લેડરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

રેક ભક્તિ પાર્ક અને ચેમ્બુર સ્ટેશન વચ્ચે મૈસુર કોલોની નજીક ફસાઈ ગઈ હતી. આ દુર્ઘટના દરમિયાન ગૂંગળામણ અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ કરનારા બાર મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળે છે અને ટૂંક સમયમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement