દિલ્હી સ્ટેશને નાસભાગની 285 મીડિયા લિંક દૂર કરવા રેલવેનો આદેશ
રેલ્વે મંત્રાલયે ડ (અગાઉ ટ્વિટર) ને નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર 15 ફેબ્રુઆરીની નાસભાગના વીડિયો દર્શાવતી 285 સોશિયલ મીડિયા લિંક્સને દૂર કરવા સૂચના આપી છે, ડિસેમ્બરમાં તેને ડાયરેક્ટ ક્ધટેન્ટ દૂર કરવાની સત્તા આપવામાં આવી ત્યારથી આ મંત્રાલયની પ્રથમ મોટી કાર્યવાહી છે.
નૈતિક ચિંતાઓ અને એકસની સામગ્રી નીતિઓને ટાંકીને, મંત્રાલયે 17 ફેબ્રુઆરીએ એક નોટિસ જારી કરી, પ્લેટફોર્મને પાલન કરવા માટે 36 કલાકનો સમય આપ્યો. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે આવા વીડિયો શેર કરવાથી જાહેરમાં અશાંતિ થઈ શકે છે અને રેલવેની કામગીરીમાં વિક્ષેપ પડી શકે છે, વર્તમાન સમયગાળા દરમિયાન.નિર્દેશમાં મુખ્ય સમાચાર સંસ્થાઓ સહિત બહુવિધ ખાતાઓને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે વીડિયોમાં મૃત વ્યક્તિઓને દર્શાવતું સંવેદનશીલ અથવા ખલેલ પહોંચાડતું મીડિયા છે.આ પહેલીવાર નથી જ્યારે મંત્રાલયે તેની ટેકડાઉન સત્તાનો ઉપયોગ કર્યો હોય. યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામને સમાન નોટિસ મોકલી, તેમને ભ્રામક અને ઉશ્કેરણીજનક માહિતી ધરાવતી સામગ્રીને દૂર કરવા કહ્યું જે જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડી શકે.
જાન્યુઆરીની નોટિસમાં એક ઢજ્ઞીઝીબય વિડિઓ, એક ઈંક્ષતફિંલફિળ પોસ્ટ અને બે ઈંક્ષતફિંલફિળ રીલ્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મેટા, ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપનીએ પુષ્ટિ કરી કે તેણે માન્ય કાનૂની વિનંતી પ્રાપ્ત કર્યા પછી પગલાં લીધાં છે.