પ્રોવિડન્ટ ફંડનું 8.25% વ્યાજ યથાવત: કર્મચારીઓને મોટી રાહત
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ ફેબ્રુઆરી 2024માં ઈપીએફ પર વ્યાજદરને 2022-2023માં 8.15 ટકાથી વધારી 8.25 ટકા કરી દીધો હતો. ઈપીએફઓ તરફથી માર્ચ 2022માં સાત કરોડથી વધુ સભ્યો માટે FY 2021-22 માટે ઈપીએફ વ્યાજદર ઘટાડી ચાર દાયકાના નીચલા સ્તર 8.1 ટકા કરી દેવામાં આવ્યો હતો. આ પહેલા તે 2020-21 માં 8.5 ટકા હતો. વર્ષ 2020-2021 માટે ઈપીએફ પર 8.10 ટકા વ્યાજ મળી રહ્યું હતું. 1977-78 બાદ આ સૌથી ઓછું હતું, જ્યારે ઈપીએફ વ્યાજદર 8 ટકા હતો.
એક સૂત્રએ જણાવ્યું કે, ઈપીએફઓની ઉચ્ચ નિર્ણય લેતી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (સીબીટી)એ શુક્રવારે 2024-25 માટે ઈપીએફ પર 8.25 ટકા વ્યાજ આપવાનો નિર્ણય કર્યો છે. CBTના નિર્ણય પછી, 2024-25 માટે ઈપીએફ થાપણો પર વ્યાજ દર સંમતિ માટે નાણાં મંત્રાલયને મોકલવામાં આવશે.સરકારની મંજૂરી બાદ 2024-2025 માટે ઈપીએફ પર વ્યાજદર ઈપીએફઓના સાત કરોડથી વધુ ગ્રાહકોના ખાતામાં જમા કરવામાં આવશે.