For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અલ્લુ અર્જુનની પુષ્પા-2ની રિલીઝ પહેલાં જ ત્રીજા પાર્ટની તૈયારી

01:06 PM Mar 28, 2024 IST | Bhumika
અલ્લુ અર્જુનની પુષ્પા 2ની રિલીઝ પહેલાં જ ત્રીજા પાર્ટની તૈયારી

અલ્લુ અર્જુનની ‘પુષ્પા: ધ રુલ’ની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ 15 ઓગસ્ટનો રોજ થિયેટરોમાં રિલીઝ થવાની છે. હાલમાં જ ફિલ્મમાંથી રશ્મિકા મંદાનાની એક તસવીર વાયરલ થઈ હતી. અત્યાર સુધી ફેન્સને ટેન્સન હતું કે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ નહીં થાય તો તેની રિલીઝને પાછળ ધકેલવામાં આવી શકે છે. પરંતુ આ દરમિયાન અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાના ફેન્સ માટે ખુશખબર સામે આવી છે કે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. જ્યાં એક તરફ બીજો પાર્ટ પોસ્ટ પ્રોડક્શન સ્ટેજ પર છે. તો મેકર્સે ત્રીજા પાર્ટનું કામ શરુ કરી દીધું છે.

Advertisement

‘પુષ્પા’ના મેકર્સે ત્રીજા પાર્ટના રિલીઝ કરવામાં વધુ સમય લેવા માંગતા નથી. આ માટે ઓફિશિયલ એનાઉન્સમેન્ટ પહેલા જ તેના પર કામ શરુ કરી દીધું છે.‘પુષ્પા’ને દુનિયાભરમાંથી શાનદાર રિસપોન્સ મળ્યો. ફિલ્મ આવી અને દરેક ઘરમાં માત્ર ‘પુષ્પા’નું રાજ હતું. આ શાનદાર રિસપોન્સને જોતા મેકર્સે ટૂંક સમયમાં જ બીજા પાર્ટની જાહેરાત કરી હતી, જે છે ‘પુષ્પા: ધ રુલ’. ફિલ્મ 15 ઓગસ્ટના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની છે.મીડિયા રિપોર્ટ મુજબ અલ્લુ અર્જુન અને સુકુમાર જાણે છે કે, નપુષ્પા: ધ રુલથની સ્ટોરી સિંગલ પાર્ટમાં બતાવવામાં આવશે નહીં. આ માટે તેને સ્ક્રિપ્ટ પર કામ શરુ કરી દીધું છે. આવામાં ‘પુષ્પા 3’ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સુકુમારે ત્રીજા પાર્ટના કેટલાક ભાગોનું શૂટિંગ પણ કરી લીધું છે. પરંતુ હજુ સુધી તેની જાણકારી કોઈને પણ આપવામાં આવી નથી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement