હરિયાણામાં ભાજપ, જેજેપીનું ગઠબંધન તૂટતાં રાજકીય કટોકટી
- લોકસભાની ચૂંટણીનો ડખ્ખો: ખટ્ટર પ્રધાનમંડળ રાજીનામું આપી નવી સરકાર રચશે
હરિયાણાની ભાજપ અને જનનાયક જનતા પાર્ટી (જેજેપી)ની ગઠબંધન સરકાર માટે મંગળવારનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. હરિયાણા સરકારની કેબિનેટ આજે સામૂહિક રાજીનામું આપી શકે છે. આ પછી હરિયાણા સરકારની કેબિનેટની નવેસરથી રચના કરવામાં આવશે. હવે હરિયાણામાં ભાજપ અને જનનાયક જનતા પાર્ટી (જેજેપી) વચ્ચે કોઈ ગઠબંધન નહીં થાય.
હરિયાણામાં ભાજપ વિધાયક દળની બેઠક મળી હતી એમાં અર્જુન મુંડા અને તરુણ ચોક નિરીક્ષક તરીકે હાજર રહ્યા હતા. દરમિયાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા આજે દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહને મળશે. આ દરમિયાન લોકસભા ચૂંટણીમાં ગઠબંધન અંગે ચર્ચા થશે. વાસ્તવમાં, જેજેપી લોકસભા ચૂંટણીમાં ભાજપ પાસેથી 1 થી 2 સીટોની માંગ કરી રહી છે.
આ પહેલા સોમવારે દુષ્યંત ચૌટાલાએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી પરંતુ ચૂંટણીમાં ગઠબંધનને લઈને વાતચીત થઈ શકી ન હતી.સૂત્રોને ટાંકીને મોટા સમાચાર એ છે કે ભાજપ નેતૃત્વમાં જેજેપીને બેઠક આપવાના પક્ષમાં નથી. હરિયાણા ભાજપ પણ સીટો આપવાના પક્ષમાં નથી. ભાજપ તમામ 10 બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે.નોંધપાત્ર છે કે ભાજપ પાસે બહુમતીનો પાવર છે. હરિયાણામાં વિધાનસભાની 90 બેઠકો છે. જેમાં 41 ભાજપ, 30 કોંગ્રેસ, 10 ઉંઉંઙ, 1 ઈંગકઉ, 1 ઇંકઙ અને 7 અપક્ષનો સમાવેશ થાય છે. બહુમત માટે 46 બેઠકો જરૂૂરી છે.જો જેજેપી ગઠબંધન તોડે છે, તો ભાજપ પાસે 41, 7 અપક્ષ અને એક હાલોપા ધારાસભ્યનું સમર્થન છે. આવી સ્થિતિમાં ભાજપને બહુમતીના 46ના આંકડા કરતાં 3 વધુ બેઠકો મળી રહી છે.