For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

RCB વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ, બેંગલુરૂ નાસભાગ કેસમાં મોટો ખુલાસો - મંજૂરી વિના કાઢી હતી વિક્ટ્રી પરેડ

06:34 PM Jun 05, 2025 IST | Bhumika
rcb વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ  બેંગલુરૂ નાસભાગ કેસમાં મોટો ખુલાસો   મંજૂરી વિના કાઢી હતી વિક્ટ્રી પરેડ

Advertisement

ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડના સંદર્ભમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. ઘટનાના 24 કલાક પછી પોલીસે આ કાર્યવાહી કરી છે. RCB, DNA (ઇવેન્ટ મેનેજર), કર્ણાટક ક્રિકેટ એસોસિએશન વિરુદ્ધ કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. FIRમાં ભાગદોડની ઘટનામાં ગુનાહિત બેદરકારીની વાત કરવામાં આવી છે. FIRમાં કલમ 105, 125 (1) (2), 132, 121/1, 190 R/W 3 (5) લાગુ કરવામાં આવી છે.

Advertisement

સ્ટેડિયમની અંદર ઉજવણી રદ કરવાની વિનંતી કરવામાં આવી હતી

RCBએ 3 જૂને તેનું પહેલું IPL ટાઇટલ જીત્યું હતું, ત્યારબાદ ટીમની વિજય પરેડની ચર્ચા થઈ હતી. 4 જૂનની સવારથી જ રસ્તાઓ પર ભીડ એકઠી થવા લાગી હતી. ભીડ જોઈને પોલીસે વિજય પરેડ માટે પરવાનગી આપી ન હતી અને તે રદ કરવામાં આવી હતી. પોલીસે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાનારી ઉજવણી મુલતવી રાખવાની પણ વિનંતી કરી હતી. તેમનું માનવું હતું કે હાલમાં ચાહકોમાં ઘણો ઉત્સાહ છે, કારણ કે ટીમે એક દિવસ પહેલી જ ટ્રોફી જીતી છે.

પોલીસ ઇચ્છતી હતી કે RCB આ કાર્યક્રમનું આયોજન રવિવાર (8 જૂન, 2025) ના રોજ કરે, પરંતુ RCB એ દલીલ કરી હતી કે તેમના વિદેશી ખેલાડીઓ તેમના દેશમાં પાછા ફરશે, તેથી તેઓ 4 જૂને જ કાર્યક્રમ યોજવા માંગે છે. બેંગલુરુ અર્બન ડેપ્યુટી કમિશનર જી જગદીશે અગાઉ કહ્યું હતું કે કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA), રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પોલીસ કમિશનર બી દયાનંદને નાસભાગની ઘટનાની તપાસમાં જોડાવા માટે નોટિસ જારી કરવામાં આવશે.

રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે બેંગલુરુ અકસ્માતની નોંધ લીધી

ચિન્નાસ્વામી સ્ટેડિયમનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જ્યાં બુધવારે નાસભાગ થઈ હતી. બુધવારે (4 જૂન, 2025) બેંગલુરુમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીક થયેલી નાસભાગમાં 11 લોકોનાં મોત થયા હતા અને 50 થી વધુ લોકો ઘાયલ થયા હતા. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC)એ આ નાસભાગની નોંધ લીધી છે. તેણે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસને નોટિસ મોકલીને એક અઠવાડિયામાં રિપોર્ટ માંગ્યો છે.

NHRC અનુસાર, એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે અધિકારીઓ તરફથી ભીડ નિયંત્રણ વ્યવસ્થાપન નબળું હતું અને આશ્ચર્યજનક રીતે, દુર્ઘટના અને સ્ટેડિયમની બહાર મૃતદેહો પડ્યા હોવા છતાં, સ્ટેડિયમની અંદર ઉજવણી અને ઉત્સવો ચાલુ રહ્યા. NHRCએ જણાવ્યું હતું કે ફરિયાદીએ આ મામલે કમિશનના હસ્તક્ષેપની માંગ કરી હતી અને ઉચ્ચ સ્તરીય તપાસ, જવાબદાર અધિકારીઓની જવાબદારી નક્કી કરવા, પીડિતોને વળતર અને ન્યાય આપવા વિનંતી કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement