PM મોદી વિદેશથી પરત ફરેલા પ્રતિનિધિમંડળના નેતાઓ સાથે કરશે મુલાકાત, મીટીંગ પહેલા કોવિડ ટેસ્ટ કરાવવો ફરજીયાત
આજે સાંજે એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના સત્તાવાર નિવાસસ્થાન, 7 લોક કલ્યાણ માર્ગ ખાતે મુલાકાત કરશે. સૂત્રોના અનુસાર, ડેલિગેશનના સભ્યો માટે કોવિડ-19 ટેસ્ટ કરાવવો ફરજીયાત રહેશે. આ પગલું સુરક્ષા પ્રોટોકોલ હેઠળ લેવાયું . સુરક્ષા પ્રોટોકોલ હેઠળ આ પગલું લેવામાં આવ્યું છે. માહિતી અનુસાર, પીએમ મોદી આજે સાંજે 7:30 વાગ્યે પ્રતિનિધિમંડળના નેતાઓને મળશે, જેમણે ઓપરેશન સિંદૂર હેઠળ વિદેશમાં ભારતનો સંદેશો પહોંચાડ્યો હતો. આ દરમિયાન, પ્રધાનમંત્રી પ્રતિનિધિમંડળના અનુભવો અને પ્રતિસાદ લેશે. આ ઉપરાંત, પીએમ મોદી બધા સાંસદો માટે રાત્રિભોજનનું પણ આયોજન કરશે.
આ પ્રતિનિધિમંડળને ખાસ કરીને પાકિસ્તાનમાં હાજર આતંકવાદને વિશ્વ સમક્ષ ઉજાગર કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું હતું. સાત અગ્રણી સાંસદોને ટીમ લીડનું કાર્ય સોંપવામાં આવ્યું હતું, જેમાં શશિ થરૂર (કોંગ્રેસ), રવિશંકર પ્રસાદ (ભાજપ), સંજય કુમાર ઝા (જેડીયુ), બૈજયંત પાંડા (ભાજપ), કનિમોઝી કરુણાનિધિ (ડીએમકે), સુપ્રિયા સુલે (એનસીપી-એસપી) અને શિવસેનાના શ્રીકાંત શિંદેનો સમાવેશ થાય છે.
કોંગ્રેસના સાંસદ શશી થરૂરના નેતૃત્વમાં સાંસદોનું એક જૂથ અમેરિકા ગયું હતું. આ મુલાકાત દરમિયાન વિવિધ દેશોમાં ભારતીય દ્રષ્ટિકોણને મજબૂતીથી રજૂ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના શશી થરૂર ઉપરાંત, પ્રતિનિધિમંડળના અગ્રણી સાંસદોમાં ઝારખંડ મુક્તિ મોરચા (JMM) ના સરફરાઝ અહેમદ, તેલુગુ દેશમ પાર્ટી (TDP) ના ગંતી હરીશ મધુર બાલયોગી, ભારતીય જનતા પાર્ટી (BJP) ના શશાંક મણિ ત્રિપાઠી, ભુવનેશ્વર કાલિતા, શિવસેનાના મિલિંદ દેવરા અને ભાજપના તેજસ્વી સૂર્યાનો સમાવેશ થતો હતો.
સૂત્રો અનુસાર, બેઠક દરમિયાન, સાંસદો તેમના અનુભવો શેર કરશે અને વિદેશમાં મળેલા પ્રતિભાવો પ્રધાનમંત્રીને રજૂ કરશે. આ ઉપરાંત, શશી થરૂરના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ પણ આજે બપોરે 2:45 વાગ્યે દેશ પરત ફર્યું છે, જે બેઠક માટે નવી માહિતી સાથે પ્રધાનમંત્રીને પોતાનો અહેવાલ રજૂ કરશે.
તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ અભિષેક બેનર્જી પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા બોલાવવામાં આવેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં હાજરી આપશે. ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી જાપાન અને અન્ય ઘણા એશિયન દેશોની મુલાકાત લેનારા પ્રતિનિધિમંડળોમાંના એકનો ભાગ હતા.