ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત, સર્વદળીય બેઠકમાં જુઓ સરકારે શું કહ્યું?

02:06 PM May 08, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

ભારતીય સશસ્ત્ર દળો દ્વારા પાકિસ્તાન અને પીઓકેમાં 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યા બાદ બંને બાજુ અશાંતિ છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે પીએમ નરેન્દ્ર મોદીને તેમના સત્તાવાર નિવાસસ્થાને મળ્યા હતા, જ્યારે સરકારે સંસદ પરિસરમાં સર્વપક્ષીય બેઠક યોજી હતી અને ઓપરેશન વિશે માહિતી આપી હતી. રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે કહ્યું કે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે. એટલે કે 7 મેના રોજ પાકિસ્તાનમાં 9 સ્થળો પર થયેલા હવાઈ હુમલા પછી પણ ઓપરેશન બંધ થયું નથી.

આ સર્વપક્ષીય બેઠક લગભગ દોઢ કલાક ચાલી હતી. વિપક્ષે કાર્યવાહી પર સંતોષ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ આ મુદ્દે સરકાર સાથે છે. બેઠક પૂર્ણ થયા બાદ સંરક્ષણ મંત્રીએ મોટો ખુલાસો કર્યો છે કે, હાલ ઓપરેશન સિંદૂર પૂર્ણ થયુ નથી. તાજેતરમાં કરવામાં આવેલી એરસ્ટ્રાઈકમાં ઓછામાં ઓછા 100 આતંકવાદીઓ માર્યા ગયા છે.

સૂત્રોએ એ પણ ખુલાસો કર્યો છે કે સરકારે કહ્યું હતું કે લગભગ 100 આતંકવાદીઓ માર્યા ગયા છે. હજુ સુધી કોઈ નક્કર માહિતી નથી. ગણતરી હજુ ચાલુ છે. અમે આ મામલાને આગળ વધારવા માંગતા નથી, જો પાકિસ્તાન આવું કરશે, તો અમે પણ પાછળ હટીશું નહીં.

https://x.com/ANI/status/1920385907997266124

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂર બાદ ઘણી ફેક ન્યૂઝ વાઈરલ થઈ છે. હું તમામને કોઈપણ પ્રકારની ખોટી માહિતી કે ખોટા સમાચાર પર વિશ્વાસ કરશો નહીં. માત્ર અધિકૃત સમાચાર પર જ વિશ્વાસ કરો છે. રાજકીય પક્ષો જનતાનો અવાજ છે. નેતાઓ તેને અવાજ આપે છે. આ જ અમારી સફળતા છે કે, અમે સૌ સાથે છીએ.

રાહુલ ગાંધીનું સરકારને સમર્થન

https://x.com/ANI/status/1920377729691668941

આ સર્વપક્ષીય બેઠક પૂર્ણ થયા બાદ લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, 'અમારૂ સરકારને સંપૂર્ણ સમર્થન છે. તમામે સમર્થન આપ્યું છે. બેઠકમાં થયેલી અમુક ગોપનીય વાતો અમે જાહેર કરી શકીશું નહીં.'

લોકસભા સાંસદ AIADMKના ઔવેસીએ જણાવ્યું હતું કે, સર્વપક્ષીય બેઠકમાં મેં કેન્દ્ર સરકાર અને ભારતીય સેનાના વખાણ કર્યા છે. અમે સરકાર સમક્ષ માગ મૂકી છે કે, આપણે TRF વિરૂદ્ધ વૈશ્વિક સ્તરે અભિયાન ચલાવવાની જરૂર છે. તેમજ ચીનને પણ સમજાવવાની જરૂર છએ કે, કારણકે, આપણે તેની સાથે મોટાપાયે વેપાર કરી રહ્યા છીએ.

 

Tags :
all-party meetingindiaindia newsOperation Sindoorpakistanpakistan news
Advertisement
Advertisement