For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

એક વાર નોકરી મળી જાય તો તે અનામત રહેતા નથી: સુપ્રીમ

11:17 AM Aug 02, 2024 IST | Bhumika
એક વાર નોકરી મળી જાય તો તે અનામત રહેતા નથી  સુપ્રીમ

આરક્ષણ ટ્રેનની બોગી જેવું, અમે આવી ગયા હવે બીજાને આવવા દેવા નથી

Advertisement

દલિત IASના પુત્રની તુલના સમાજના અન્ય ગરીબ વ્યક્તિ સાથે ન થઇ શકે: અનામત માત્ર એક પેઢી માટે જ હોવી જોઇએ: સર્વોચ્ચ અદાલતનું તારણ

જસ્ટિસ બીઆર ગવઈએ તેમના લાંબા ચુકાદામાં અનેક મહત્વપૂર્ણ અવલોકનો કર્યા હતા. તેમણે કહ્યું કે દલિત IAS, IPS કે અન્ય કોઈ અધિકારીના બાળકની સરખામણી ગરીબ પરિવારના બાળક સાથે ન થઈ શકે.

Advertisement

સુપ્રીમ કોર્ટે ગુરુવારે અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે અનામતમાં પેટા વર્ગીકરણ પર ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતની 7 ન્યાયાધીશોની બેન્ચે સ્પષ્ટપણે કહ્યું કે SC અને STક્વોટામાં પણ વર્ગીકરણ હોવું જોઈએ કારણ કે તે એક સમાન સમાજ નથી. સામેલ જ્ઞાતિઓને પણ વિવિધ સમસ્યાઓ અને ભેદભાવનો સામનો કરવો પડે છે. તેના સ્વભાવમાં પણ તફાવત છે. એટલું જ નહીં, બેન્ચમાં સામેલ 7માંથી 4 જજોએ SC અને STક્વોટામાં ક્રીમીલેયરની પણ હિમાયત કરી હતી. તેમણે કહ્યું કે અનામત માત્ર એક પેઢી માટે જ હોવી જોઈએ. એકવાર કોઈને અનામતનો લાભ લઈને નોકરી મળી જાય તો તે જનરલ કેટેગરીના સ્તરે આવે છે.

આવી સ્થિતિમાં અનામતનો લાભ મેળવનાર લોકોની બીજી પેઢીને ક્રીમીલેયરના દાયરામાં લાવવા જોઈએ. બેન્ચના એકમાત્ર દલિત જજ જસ્ટિસ બીઆર ગવઈએ કહ્યું કે અનામતનો સાચો હેતુ દેશમાં સમાનતાને સમજવાનો છે. અસમાનતાવાળા જૂથમાં દરેકને કેવી રીતે સમાન ગણવામાં આવે છે? આ દલીલના આધારે બેન્ચે કહ્યું કે SC અને જઝમાં પણ ક્રીમી લેયર લાગુ થવો જોઈએ. જસ્ટિસ ગવઈએ કહ્યું કે, સરકારે ક્રીમી લેયરને ઓળખવા માટે નીતિ બનાવવી જોઈએ અને તેનાથી લાભ મેળવનારા લોકોને બાકાત રાખવા જોઈએ. સમાનતા પ્રાપ્ત કરવાનો આ એકમાત્ર રસ્તો છે.

દલિત IAS ના પુત્રની તુલના સમાન સમાજના ગરીબ વ્યક્તિ સાથે ન થઈ શકે.જસ્ટિસ બીઆર ગવઈએ તેમના લાંબા ચુકાદામાં અનેક મહત્વપૂર્ણ અવલોકનો કર્યા હતા. તેમણે કહ્યું કે દલિત IAS, IPS અથવા અન્ય કોઈ અધિકારીના બાળકની સરખામણી ગરીબ પરિવારના બાળક સાથે ન થઈ શકે જે ગ્રામ પંચાયત અથવા જિલ્લા પરિષદની શાળામાં અભ્યાસ કરે છે. તેમણે કહ્યું કે એસસી અને એસટી ક્વોટામાં વર્ગીકરણનો વિરોધ કરવો એ ટ્રેનના સામાન્ય ક્વોટામાં સંઘર્ષ સમાન છે. તેમણે કહ્યું કે સામાન્ય કોચમાં એવું બને છે કે જે બહાર રહે છે તે અંદર આવવા માટે સંઘર્ષ કરે છે. આ પછી, જ્યારે તે અંદર આવે છે, ત્યારે તે બહારના વ્યક્તિને આવવાથી રોકવા માટે તમામ પ્રયાસ કરે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement