કોઇપણ વીમા પ્રીમિયમ પર ટેક્સ નહીં લાગે: ત્રણ દિવસમાં રજિસ્ટ્રેશન, રિફંડ પ્રક્રિયા સરળ
11,800ના પ્રીમિયમ પર 1800ની બચત, રૂા.2000 સુધીના જૂતાં 5 ટકાના સ્લેબમાં, લકઝરી કાર 40 ટકામાં આવતાં મોંઘી થશે
જીએસટી કાઉન્સિલની 56મી બેઠક બાદ, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી કે હવે વીમા સેવાઓ પર કોઈ જીએસટી રહેશે નહીં. આ ફેરફાર સાથે, ટર્મ લાઇફ, ULIP અને એન્ડોમેન્ટ યોજનાઓ સહિતની તમામ વ્યક્તિગત જીવન વીમા પોલિસી શૂન્ય જીએસટી શ્રેણી હેઠળ આવશે. બધી યોજનાઓનો પુનર્વીમો પણ શૂન્ય જીએસટી શ્રેણી હેઠળ આવશે.
બેઠક બાદ, નાણામંત્રીએ કહ્યું કે વીમા પર જીએસટી નાબૂદ કરવાથી સામાન્ય માણસ માટે તે વધુ સસ્તું બનશે. આનાથી દેશભરમાં વીમા કવરેજનો વિસ્તાર કરવામાં મદદ મળશે. જો કોઈ ગ્રાહકને હાલમાં 11,800 રૂૂપિયા પ્રીમિયમ તરીકે ચૂકવવા પડે છે, તો હવે તેણે પ્રીમિયમ તરીકે 10,000 રૂૂપિયા ચૂકવવા પડશે. પ્રીમિયમમાં 1800 રૂૂપિયાની સીધી બચત થશે. આ સાથે, જીએસટી નોંધણી, રિટર્ન અને રિફંડ સંબંધિત સુધારાઓ પર ચર્ચા થઈ. ખાસ કરીને, બધા રાજ્યો જીએસટી નોંધણીની પ્રક્રિયા સંબંધિત સુધારા ત્રણ દિવસમાં જારી કરવા પર સંમત થયા છે. બધા રાજ્યો જીએસટીમાં વ્યવસાય કરવાની સરળતા અંગે કરવામાં આવનાર સુધારાઓ પર સંમત થયા છે.
આમાં નિર્ધારિત સમય મર્યાદામાં નોંધણી સંબંધિત પ્રક્રિયાને મંજૂરી આપવાનો સમાવેશ થાય છે. હાલમાં, જીએસટી નોંધણી કરાવવી ખૂબ જ મુશ્કેલ છે.
જીએસટીમાં આગામી પેઢીના સુધારાઓ અંગે બે દિવસની બેઠક બોલાવવામાં આવી હતી, પરંતુ એક દિવસની ચર્ચા બાદ સર્વસંમતિ થઈ હતી. વિપક્ષ શાસિત રાજ્યોના પ્રતિનિધિઓએ જીએસટી ઘટાડાને કારણે રાજ્યોને થયેલા નુકસાનની ભરપાઈ માટે વળતરની માંગણી ઉઠાવી.
2,500 રૂૂપિયા સુધીના જૂતા, ચંપલ અને કપડાંને પાંચ ટકાના ટેક્સ સ્લેબમાં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી, ફક્ત 1000 રૂૂપિયા સુધીના જૂતા અને વસ્ત્રો પર 5 ટકાના દરે જીએસટી લાગતો હતો, જ્યારે તેનાથી વધુ કિંમતના ઉત્પાદનો પર 12 ટકાના દરે ટેક્સ લાગતો હતો.
બેઠક બાદ, પંજાબના નાણામંત્રી હરપાલ સિંહ ચીમાએ જણાવ્યું હતું કે રાજ્યોના મહેસૂલ નુકસાન અંગે કેન્દ્ર દ્વારા કંઈ કહેવામાં આવ્યું નથી. સામાન્ય લોકોના હિતોને ધ્યાનમાં રાખીને, મંત્રીઓના જૂથ (GOM)ની ભલામણોને મંજૂરી આપવામાં આવી હતી.
આ સાથે, કાઉન્સિલે જીએસટી નોંધણી, રિટર્ન અને રિફંડ સંબંધિત સુધારાઓને પણ મંજૂરી આપી છે. અરજદારો 3 કાર્યકારી દિવસોમાં આપમેળે નોંધણી કરાવી લેવામાં આવશે. સિસ્ટમ-આધારિત ડેટા વિશ્ર્લેષણ દ્વારા નોંધણી નક્કી કરવામાં આવશે. જે વેપારી ઇનપુટ ટેક્સ ક્રેડિટ પાસ નહીં કરે અને જેની માસિક મર્યાદા 2.5 લાખ રૂૂપિયાથી વધુ ન હોય તેઓ આ યોજનાનો લાભ લઈ શકશે. યોગ્ય સત્તાવાળા દ્વારા સિસ્ટમ-આધારિત જોખમ મૂલ્યાંકન પછી કામચલાઉ રિફંડ મંજૂર કરાશે