For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોદી જે કહે તે પથ્થરની લકીર, CAA ક્યારેય પાછો નહીં ખેંચાય: શાહ

11:38 AM Mar 14, 2024 IST | Bhumika
મોદી જે કહે તે પથ્થરની લકીર  caa ક્યારેય પાછો નહીં ખેંચાય  શાહ
  • નાગરિકતા સુનિશ્ચિત કરવાનો કેન્દ્રનો સાર્વભૌમ અધિકાર: વિરોધ કરતા નેતાઓને આડે હાથ લઇ કહ્યું: મેં 4 વર્ષમાં 41 વાર કહ્યું છે કે ચૂંટણી પહેલાં અમલ કરાશે

નાગરિકતા (સુધારા) અધિનિયમના અમલીકરણના દિવસો પછી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે આ કાયદો ક્યારેય પાછો લેવામાં આવશે નહીં. અમિત શાહે એક સમાચાર સંસ્થાને મુલાકાતમાં જણાવ્યું હતું કે, સીએએ ક્યારેય પાછું લેવામાં આવશે નહીં. આપણા દેશમાં ભારતીય નાગરિકતા સુનિશ્ચિત કરવાનો અમારો સાર્વભૌમ નિર્ણય છે, અમે તેની સાથે ક્યારેય સમાધાન કરીશું નહીં. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન મોદી જે કહે છે તે પથ્થરની લકીર હોય છે.અધિનિયમના અમલીકરણ પર પણ બોલતા અમિત શાહે કહ્યું, લઘુમતીઓ અથવા અન્ય કોઈ વ્યક્તિએ ડરવાની કોઈ જરૂૂર નથી કારણ કે ઈઅઅમાં કોઈની નાગરિકતા છીનવી લેવાની કોઈ જોગવાઈ નથી.

Advertisement

શાહે કહ્યું, સીએએ માત્ર અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના હિંદુઓ, બૌદ્ધો, જૈનો, શીખો, ખ્રિસ્તીઓ અને પારસી શરણાર્થીઓને અધિકારો અને નાગરિકતા આપવા માટે છે.
સીએએ દ્વારા બીજેપી નવી વોટ બેંક બનાવી રહી હોવાના વિપક્ષના આરોપ પર ગૃહમંત્રીએ કહ્યું કે, વિપક્ષ પાસે બીજું કોઈ કામ નથી, તેઓ જે કહે છે તે ક્યારેય કરતા નથી. તેઓએ એમ પણ કહ્યું કે કલમ 370 નાબૂદ કરવાની બાબત પણ અમારા રાજકીય લાભ માટે હતી. અમે 1950 થી કહી રહ્યા છીએ કે અમે કલમ 370 હટાવીશું.

સીએએ નોટિફિકેશનના સમય પર પ્રશ્નો ઉઠાવતા વિરોધ પક્ષોના જવાબમાં શાહે કહ્યું, અસદુદ્દીન ઓવૈસી, રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ, મમતા બેનર્જી સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ જૂઠાણાની રાજનીતિ કરી રહી છે.સમયનો કોઈ પ્રશ્ન જ નથી. ભાજપે 2019માં તેના ઢંઢેરામાં કહ્યું હતું કે તે સીએએ લાવશે. બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના શરણાર્થીઓને નાગરિકતા આપશે.
2019માં, તેને સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું પરંતુ કોવિડને કારણે વિલંબ થયો હતો. વિપક્ષ તુષ્ટિકરણની રાજનીતિ કરવા માંગે છે અને તેમની વોટ બેંકને મજબૂત કરવા માંગે છે. તેઓ ખુલ્લા પડી ગયા છે અને દેશના લોકો જાણે છે કે સીએએ આ દેશનો કાયદો છે. મેં છેલ્લા ચાર વર્ષમાં 41 વખત કહ્યું છે કે ચૂંટણી પહેલા તેનો અમલ કરવામાં આવશે.

Advertisement

નાગરિકતા સંબંધી કાયદા ઘડવાનો અધિકાર કેન્દ્રનો: રાજ્યોએ અમલ કરવો જ પડે

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બિન-ભાજપ શાસિત રાજ્યોના કેટલાક મુખ્ય પ્રધાનો પર સવાલ ઉઠાવ્યા છે જેઓ નાગરિકતા સંશોધન કાયદાના અમલીકરણનો વિરોધ કરી રહ્યા છે અને દાવો કરી રહ્યા છે કે તેઓ તેમના રાજ્યમાં તેનો અમલ થવા દેશે નહીં. ગૃહમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સીએએ બંધારણની કોઈપણ જોગવાઈનું ઉલ્લંઘન કરતું નથી અને માત્ર કેન્દ્ર સરકારને નાગરિકતા સંબંધિત કાયદા ઘડવા અને તેનો અમલ કરવાની સત્તા છે. શું તમને એ અધિકાર છે કે તમે તેના અમલીકરણનો ઇનકાર કરી શકો? તેઓ એ પણ સમજે છે કે તેમની પાસે અધિકાર નથી. આપણા બંધારણમાં, નાગરિકતા સંબંધિત કાયદો બનાવવાનો અધિકાર માત્ર સંસદને જ આપવામાં આવ્યો છે. આ કેન્દ્રીય વિષય છે, નહીં. રાજ્યનો, કાયદો અને તેનો અમલ બંને, અમિત શાહે કહ્યું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી પછી તમામ રાજકીય પક્ષો સાથે આવશે અને સહકાર આપશે. આપણા બંધારણની કલમ 11 સંસદને નાગરિકતા અંગેના નિયમો બનાવવાની તમામ સત્તાઓ આપે છે. મને લાગે છે કે ચૂંટણી પછી દરેક જણ સહકાર આપશે. તેઓ તુષ્ટિકરણની રાજનીતિ માટે ખોટી માહિતી ફેલાવી રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement