For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બજેટમાં રેલવે માટે કોઇ જાહેરાત નહીં, મુસાફરોની આશા પર પાણી ર્ફ્યુ

04:13 PM Jul 23, 2024 IST | Bhumika
બજેટમાં રેલવે માટે કોઇ જાહેરાત નહીં  મુસાફરોની આશા પર પાણી ર્ફ્યુ
Advertisement

નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે લોકસભામાં દેશનું બજેટ રજૂ કર્યું હતું. દેશના સામાન્ય બજેટની દરેક વ્યક્તિ રાહ જુએ છે અને તેની સાથે જ લોકો રેલવે બજેટ પર પણ નજર રાખે છે. એવું માનવામાં આવી રહ્યું હતું કે મોદી સરકાર તેના ત્રીજા કાર્યકાળના પ્રથમ બજેટમાં ભારતીય રેલવેને કેટલીક ભેટ પણ આપી શકે છે. જો કે, આ અપેક્ષાઓ ખોટી સાબિત થઈ હતી.

નવાઈની વાત એ છે કે નાણામંત્રીએ રેલવેને લઈને કોઈ જાહેરાત કરી નથી. આ પહેલા એવી ધારણા હતી કે નિર્મલા સીતારમણ વંદે ભારત સ્લીપર ટ્રેનની જાહેરાત કરી શકે છે, તેની સાથે રેલવે ભાડાને લઈને પણ કેટલીક જાહેરાત થઈ શકે છે. એવું પણ માનવામાં આવતું હતું કે વૃદ્ધોને ભાડામાં રાહત મળશે પરંતુ આ બજેટમાં એવું કંઈ થયું નથી.

Advertisement

એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે આ બજેટમાં રેલવે ટિકિટ, ભાડા અને નવી ટ્રેનની જાહેરાતના ભાવમાં વધારો કે ઘટાડો થઈ શકે છે, પરંતુ કોઈપણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી. સામાન્ય માણસની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું.નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં ભારતીય રેલવે માટે કોઈ નવી યોજના કે પહેલની જાહેરાત કરી ન હતી. વચગાળાના બજેટમાં રેલવે સેક્ટર માટે જે ફાળવણી કરવામાં આવી છે તે કોઈપણ ફેરફાર વિના યથાવત રહેશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement